________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સૂત્રપાહુડ)
૫૯
यदि दर्शनेन शुद्धा उक्ता मार्गेण सापि संयुक्ता। धोरं चरित्वा चारित्रं स्त्रीषु न पापका भणिता।। २५।। જો હોય દર્શન શુદ્ધ તો તેનેય માર્ગયુતા કહી;
છો ચરણ ઘોર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫. અર્થ- સ્ત્રીઓમાં જે સ્ત્રી દર્શન અર્થાત્ યથાર્થ જિનમતની શ્રદ્ધાથી શુદ્ધ છે તેપણ માર્ગસંયુક્ત કહી છે, જે ઘોર ચારિત્ર, તીવ્ર તપશ્ચરણાદિક આચરણથી પાપરહિત હોય છે, તેથી તેને પાપયુક્ત કહેતા નથી.
ભાવાર્થ- સ્ત્રીઓમાં જે સ્ત્રી સમ્યકત્વ સહિત હોય અને તપશ્ચરણ કરે તો પાપરહિત થઈ સ્વર્ગને પ્રાપ્ત કરે માટે તે પ્રશંસા યોગ્ય છે, પરંતુ સ્ત્રીપર્યાયથી મોક્ષ નથી. ૨૫. હવે કહે છે કે સ્ત્રીઓને ધ્યાનની સિદ્ધિ પણ નથીઃ
चित्तासोहि ण तेसिं ढिल्लं भावं तहा सहावेण। विज्जदि मासा तेसिं इत्थीसु ण संकया झाणा।। २६ ।। चित्ताशोधि न तेषां शिथिलः भावः तथा स्वभावेन। विद्यते मासा तेषां स्त्रीषु न शंकया ध्यानम्।। २६ ।। મનશુદ્ધિ પૂરી ન નારીને, પરિણામ શિથિલ સ્વભાવથી,
વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિશંકથી. ૨૬ અર્થ - તે સ્ત્રીઓને ચિત્તની શુદ્ધતા નથી. તેવીજ રીતે સ્વભાવથી જ તેમના ભાવ ઢીલા હોય છે, પરિણામ શિથિલ હોય છે, અને તેમને દર માસે ઋતુસ્ત્રાવ થવાની શંકા રહે છે. તેથી સ્ત્રીઓને ધ્યાન નથી.
ભાવાર્થ- ચિત્ત શુદ્ધ હોય, દઢ પરિણામ હોય, કોઈ પ્રકારની શંકા ન હોય ત્યારે ધ્યાન હોય છે. પણ સ્ત્રીઓને ત્રણેય કારણ નથી તો ધ્યાન કેવી રીતે થાય? ધ્યાન વિના કેવળજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય? અને કેવળજ્ઞાન વિના મોક્ષ નથી. શ્વેતામ્બરાદિક મોક્ષ કહે છે તે મિથ્યા છે. ર૬ હવે સૂત્ર પ્રાભૂતને સમાપ્ત કરે છે ત્યાં સામાન્યપણે સુખનું કારણ કહે છે :
गाहेण अप्पगाहा समुद्दसलिले सचेल अत्थेण। इच्छा जाहु णियत्ता ताह णियत्ताइं सव्वदुक्खाई।। २७।। ग्राह्येण अल्पग्राह्याः समुद्रसलिले स्वचेलार्थेन। इच्छा येभ्यः निवृत्ताः तेषां निवृत्तानि सर्वदुःखानि।।२७।।
૧ પાઠાન્તર = પાવયા. ૨ માર્ગયુતા = માર્ગથી સંયુક્ત.
Please inform us of any errors on
[email protected]