SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates અષ્ટપાહુડ) VIII સ્વામી કુન્દ્રકુન્દાચાર્ય જન્મ ધારણ કરીને આ ભારતભૂમિને કયા સમયે ધન્ય તથા પવિત્ર કરીએ વિષયનો નિશ્ચિતરૂપથી આજસુધી કોઈ વિદ્વાને નિર્ણય કર્યો નથી. કેમકે કેટલાયે વિદ્વાનોએ માત્ર અંદાજથી એમને વિક્રમની પાંચમી અને કેટલાયે વિદ્વાનોએ ત્રીજી શતાબ્દિમાં થયાનો નિશ્ચય કર્યો છે અને ઘણા વિદ્વાનોએ એમનું વિક્રમની પ્રથમ શતાબ્દિમાં હોવું નિશ્ચિત કર્યું છે અને આ અભિપ્રાય ઉપર જ ઘણું કરીને પ્રધાન વિદ્વાનોનો અભિપ્રાય ઢળે છે. સંભવ છે કે આ જ નિશ્ચિતરૂપમાં પરિણામ હોય. પરંતુ મારું હૃદય એમને વિક્રમની પહેલી શતાબ્દિથી પણ ઘણા વહેલાં હોવાનું કબૂલ કરે છે. કારણ કે સ્વામીજીએ જેટલા ગ્રંથો રચ્યા છે તે કોઈમાં પણ દ્વાદશાનુપ્રેક્ષાના અંતે નામમાત્ર સિવાય પોતાનો પરિચય આપેલ નથી. પરંતુ બોધપાહુડમાં અંતે ૬૧ નંબરની આ એક ગાથા ઉપલબ્ધ છે : सद्दवियारो भूओ मासासुत्तेसु जं जिणे कहियं। सो तह कह्यिं णायं सीसेण य भद्रबाहुस्स। __बोध पाहुड गाथा ६१ મને આ ગાથાનો અર્થ ગાથાની શબ્દરચનાથી એવો પણ પ્રતીત થાય છે - નં જે નિને જિનથી રુદિયં– કહેવાયું તો તે માસ સુરેનું ભાષાસૂત્રથી (ભાષારૂપ પરિણત દ્વાદશાંગ શાસ્ત્રોથી) સવિયારો મૂગો શબ્દવિકારરૂપ થયું. શબ્દ વિકારરૂપ પરિણમ્યું ) મદ્વાદુરસ. ભદ્રબાહુના સિસેળ ય શિષ્ય તરું તે પ્રમાણે ગાયે જાણીને રુધિં કહ્યું. જે જિનેન્દ્રદેવે કહ્યું છે તે જ દ્વાદશાંગમાં શબ્દ વિકારથી પરિણત થયું છે અને ભદ્રબાહુના શિષ્ય તે જ પ્રકારે જાણ્યું છે તથા કહ્યું છે. આ ગાથામાં જે ભદ્રબાહુનું કથન આવ્યું છે તે ભદ્રબાહુ કોણ છે એનો નિર્ણય કરવા માટે એની પછીની ૬રમી ગાથામાં આ પ્રકારે છે. बारस अंगवियाणं चउदस पुवंग विउल वित्थरणं। सुयणाणि भद्रबाहू गमयगुरु भयवओ जयओ।। વોથપાદુહા દ્રા દ્વાદશ અંગના જ્ઞાતા તથા ચૌદ પૂર્વાગના વિસ્તારરૂપમાં પ્રસાર કરવાવાળા ગમતગુરુશ્રુતજ્ઞાની ભગવાન ભદ્રબાહુ જયવંત રહો. આ બન્ને ગાથાઓને વાંચવાથી વાંચકોને સારી રીતે વિદિત થશે કે આ બોધપાહુડની ગાથાઓ શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્યની કૃતિ છે. અને આ અષ્ટપાહુડ ગ્રંથ નિર્વિવાદ અવસ્થામાં કુન્દકુન્દ સ્વામીજીએ બનાવેલ છે. તેથી આ સિદ્ધ થાય છે કે સ્વામી કુન્દ્રકુન્દ શ્રુતકેવળી ભદ્રબાહુના શિષ્ય હતા. આવી સ્થિતિમાં કુન્દકુન્દનો સમય વિક્રમથી ઘણો ઘણો આગળનો જણાય છે. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy