SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ : અધ્યાત્મ-સંદેશ પાંચમા ગુણસ્થાને ચોથા કરતાં અલ્પ અલ્પકાળને અંતરે અનુભવ થાય છે; (ચોથા ગુણસ્થાનવાળા કોઈ જીવને કોઈકવાર તુરત જ એવો અનુભવ થાય તે જુદી વાત છે.) અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિને તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ નિયમથી વિક્લ્પ તૂટીને સ્વાનુભવ થયા કરે છે. સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે સ્વાનુભવ થાય-એ સંબંધી કોઈ ચોક્કસ માપ જાણવામાં આવતું નથી. છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી મુનિને માટે તો નિયમ છે કે અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ; નહિતર મુનિશા જ ન ટકે. મુનિદશામાં કદી એમ ન બને કે લાંબાકાળ સુધી નિર્વિકલ્પઅનુભવ ન આવે ને બાહ્યપ્રવૃત્તિમાં (સવિ‚દશામાં) જ રહ્યા કરે. ત્યાં તો અંતર્મુહૂર્તમાં નિયમથી નિર્વિકલ્પધ્યાન થાય જ છે. મુનિદશામાં કોઈ જીવ ભલે લાખો-કરોડો વર્ષો રહે અને તે દરમિયાન સાતમું ગુણસ્થાન વારંવાર અંતર્મુહૂર્તમાં આવ્યા કરે, એ રીતે સમુચ્ચયપણે તેને છઠ્ઠા ગુણસ્થાનનો કાળ ભલે લાખોકરોડો વર્ષો થઈ જાય, પણ એકસાથે અંતર્મુહૂર્તથી વિશેષકાળ ઠ્ઠું ગુણસ્થાન રહી શકે જ નહીં. છઠ્ઠા ગુણસ્થાનનો કાળ જ અંતર્મુહૂર્તથી વધુ નથી પછી લાંબો વખત ઊંઘવાની તો વાત જ શી? ભગવાને છન્નુ ગુણસ્થાનનો જે ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે તે ઉત્કૃષ્ટ કાળ પણ એવા જીવને જ હોય છે કે જે ત્યાંથી પાછો મિથ્યાત્વમાં જવાનો હોય. બીજા જીવોને એવો ઉત્કૃષ્ટકાળ હોતો નથી, તેને તો તેથી ઓછા કાળમાં વિકલ્પ તૂટીને સાતમું ગુણસ્થાન આવી જાય છે. મુનિઓ વારંવાર નિર્વિલ્પ૨સ પીએ છે. અહો, નિર્વિકલ્પતા તે તો અમૃત છે. બધા મુનિઓને સવિક્લ્પ વખતે છઠ્ઠું ને ક્ષણમાં નિર્વિકલ્પધ્યાન થતાં સાતમું ગુણસ્થાન થાય છે. જેમ સમ્યગ્દર્શન નિર્વિકલ્પ-સ્વાનુભવપૂર્વક પ્રગટે છે તેમ મુનિદશા પણ નિર્વિલ્પધ્યાનમાં જ પ્રગટે છે, “પહેલાં ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટે ને પછી વિક્લ્પ ઊઠતાં છઠે આવે. મુનિને તો વારંવાર નિર્વિલ્પધ્યાન થાય છે. એ તો કેવળજ્ઞાનના એક્દમ નજીકના પાડોશી છે. અલ, વારંવાર શુદ્ધોપયોગના આનંદમાં ઝૂલતા એ મુનિની અંતરદશાની શી વાત ! અરે, સમ્યગ્દષ્ટિ-શ્રાવકને પણ ધ્યાન વખતે તો મુનિ જેવો ગણ્યો છે. હું શ્રાવક છું કે મુનિ છું એવો કોઈ વિક્લ્પ જ એને નથી, એને તો ધ્યાન વખતે આનંદના વેદનમાં જ લીનતા છે. ચોથા ગુણસ્થાને આવો અનુભવ કોઈકવા૨ થાય છે, પછી જેમ જેમ ભૂમિકા વધતી જાય છે તેમ તેમ કાળ-અપેક્ષાએ વારંવાર થાય છે ને ભાવઅપેક્ષાએ લીનતા વધતી જાય છે. ચોથા ગુણસ્થાને સ્વાનુભવ લાંબાકાળના અંતરે થવાનું કહ્યું અને ઉપરના Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy