SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં નિઃશંક છે સ્વાનુભવનું કાર્ય મતિ-શ્રુતજ્ઞાન વડે જ થાય છે એ સ્વાનુભવદશામાં આત્મા જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન વડે જાણવામાં આવે છે; શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ છે, અને મતિજ્ઞાનશ્રુતજ્ઞાન પરોક્ષ કહેલ છે; તેથી અહીં આત્માનું જાણવું પ્રત્યક્ષરૂપ હોતું નથી. વળી અવધિ-મન:પર્યયજ્ઞાનનો વિષય રૂપી પદાર્થો જ છે, તથા કેવળજ્ઞાન છદ્મસ્થ જીવોને હોય નહિ, તેથી અનુભવમાં અવધિ-મન:પર્યય કે કેવળજ્ઞાન વડે આત્માનું જાણવું નથી. આ રીતે અહીં, આત્માને સારી રીતે સ્પષ્ટ જાણે છે તેમાં પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી, તેમ જ જેમ નેત્રાદિ વડે (રૂપ વગેરે ) જાણવામાં આવે છે તેમ એકદેશ નિર્મળતાપૂર્વક પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિક જાણવામાં આવતા નથી તેથી તેમાં સાંવ્યવહારિક-પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. અહીં તો આગમ-અનુમાનાદિ પરોક્ષજ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે.” (મો. મા. પ્ર. પૃ. ૩૪૭) સાધકને આત્માનો સ્વાનુભવ મતિ-શ્રુતજ્ઞાન વડે થાય છે. તે સ્વાનુભવમાં અનંતગુણનો અભેદ ચૈતન્યપિંડ અને અતીન્દ્રિય આનંદનું વેદન તો સાક્ષાત થાય છે, તેમાં તેની અનંતશક્તિઓ અભેદપણે સ્વાદમાં આવી જતી હોવા છતાં, ભિન્ન ભિન્ન અનંતશક્તિઓ કે અસંખ્યપ્રદેશો મતિ-શ્રુતમાં સાક્ષાત્ દેખાતા નથી, તેથી તે જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેતા નથી, આત્માનું પારમાર્થિક પ્રત્યક્ષપણું તો કેવળજ્ઞાનમાં છે, છબસ્થને તો તે જ્ઞાન નથી, છદ્મસ્થને કોઈને અવધિ-મન:પર્યયજ્ઞાન હોય તે જો કે પ્રત્યક્ષ છે પણ તે તો માત્ર રૂપીવસ્તુને-પરવસ્તુને જાણવામાં જ પ્રત્યક્ષ છે, સ્વાનુભવનું કાર્ય તેમના વડે થતું નથી. સ્વાનુભવ તો મતિશ્રુતજ્ઞાન વડે જ થાય છે અને તે જ્ઞાન પરોક્ષ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy