SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ : અધ્યાત્મ-સંદેશ કહેવાય છે. પ્રથમ તો અહીં સામાન્યપણે પાંચે જ્ઞાનમાંથી પ્રત્યક્ષ-પરોક્ષ કયા છે તે બતાવે છે; તેમાં મતિ-શ્રુતની જે ખાસ વિશેષતા છે તે પછી બતાવશે. * કેવળજ્ઞાન તો એક જ પ્રકારનું છે. * મન:પર્યયજ્ઞાન ઋન્નુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારનું છે; તેમાં વિપુલમતિ તો અપ્રતિપાતી છે એટલે તે જ્ઞાનના ધારક મુનિ નિયમથી તે જ ભવે મોક્ષ પામે છે. * અવધિજ્ઞાન દેશઅવિધ પરમઅવિધ અને સર્વઅવધિ એમ ત્રણ પ્રકારનું છે; તેમાં ૫૨મઅવધિ અને સર્વઅવધિ એ બે પ્રકારો ચરમશરીરી મુનિને હોય છે. * મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે; તે પરોક્ષ જ્ઞાનના અનેક ભેદો છે. અહીં બીજા પ્રકારે તેના પાંચ ભેદ કહ્યા છે-સ્મૃતિ, પ્રત્યભિ, તર્ક, અનુમાન અને આગમ. પહેલા ચાર ભેદો મતિજ્ઞાનના છે, ને આગમ તે શ્રુતજ્ઞાન છે. સ્મૃતિ એટલે પૂર્વે જોયેલી વસ્તુને સ્મરણ વડે વર્તમાનમાં જાણવી તે; જેમકે સીમંધરભગવાન આવા હતા... તેમની વાણી આવી હતી... સમવસરણ આવું હતું... વગેરે પૂર્વે જોયેલી વસ્તુને વર્તમાનમાં યાદ કરીને જાણે એવી તાકાત મતિજ્ઞાનમાં છે. પ્રત્યભિજ્ઞાન એટલે પૂર્વે જે વસ્તુ જોયેલી તેને વર્તમાન વસ્તુ સાથે સરખાવવી તે; જેમકે-પૂર્વે જે ભગવાનને જોયા હતા તેમના જેવી જ આ પ્રતિમાની મુદ્રા છે; અથવા, પૂર્વે ભગવાન પાસે મેં અમુક આત્માને જોયો હતો તે આ જ આત્મા છે-એમ મતિજ્ઞાન જાણી શકે છે. દેહાદિ બધા સંયોગો એકદમ પલટી ગયા હોવા છતાં મતિજ્ઞાનની નિર્મળતાની કોઈ એવી તાકાત છે કે ‘પૂર્વે જોયેલો આત્મા આ જ છે' એમ તે નિઃશંક જાણી લ્યે છે. જગતને જ્ઞાનીના જ્ઞાનની તાકાતનો વિશ્વાસ બેસવો કઠણ પડે છે. પણ ‘એવી તાકાતવાળા જીવો અત્યારે અહીં પણ છે.’ તર્ક એટલે જ્ઞાનમાં સાધન-સાધ્યનો સંબંધ જાણી લેવો તે; જેમકે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય, જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડો ન હોય. જ્યાં સમવસરણ હોય ત્યાં તીર્થંકરભગવાન હોય, જ્યાં તીર્થંકરભગવાન ન હોય ત્યાં સમવસરણ ન હોય. અથવા જે જીવને વસ્ત્રગ્રહણ છે તેને છઠ્ઠું Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy