SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અંતર્મુખ મતિ-શ્રુતની અતીન્દ્રિય તાકાત વળી તમે લખ્યું કે આત્મા અતીન્દ્રિય છે; તે અતીન્દ્રિય વડે જ ગ્રાહ્ય થઈ શકે. મન અમૂર્તિકનું પણ ગ્રહણ કરે છે કેમકે મતિશ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો કહ્યા છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે-મતિ શ્રતયોર્નિવળ્યો द्रव्येष्वसर्वपर्यायेषु" મતિ-શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે ને તેમાં હુજી મનનું અવલંબન ઊભું છે માટે તેનાથી અતીન્દ્રિય આત્મા કેમ જણાય?–તો કહે છે કે મતિશ્રુતજ્ઞાનમાં પણ અતીન્દ્રિય આત્માને જાણવાની તાકાત છે. મૂર્તઅમૂર્ત સમસ્ત દ્રવ્યો મતિશ્રુતજ્ઞાનના વિષય છે. અને આત્માને જાણતી વખતે મતિશ્રુતજ્ઞાનમાં પણ કથંચિત પ્રત્યક્ષપણું થઈ જાય છે, એટલે અંશે એમાંથી મનનું ને ઇન્દ્રિયનું અવલંબન છૂટી જાય છે. આ રીતે મતિશ્રુતજ્ઞાન પણ સ્વસમ્મુખ થઈને આત્માને બરાબર જાણી શકે છે. હા, એટલું ખરું કે ઇન્દ્રિય તરફ વર્તતા મતિ-શ્રુતજ્ઞાન અતીન્દ્રિય આત્માને પકડી શકતા નથી; પણ ઇન્દ્રિયોથી ને ઇન્દ્રિય વિષયોથી ભિન્નતા જાણીને હું તો જ્ઞાનસ્વભાવ છું એમ અંતસ્વભાવ તરફ ઝુકેલા મતિશ્રુતજ્ઞાન અતીન્દ્રિય આત્માને બરાબર જાણી લ્ય છે. હવે, પ્રત્યક્ષ અને પરોક્ષપણું સમ્યકત્વમાં નથી પણ જ્ઞાનમાં છે, એ વિષય વિસ્તારથી ચર્ચ છે. F Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy