SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્વિકલ્પ અનુભવ વખતની સ્થિતિનું વર્ણન 5 แ “વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ નિર્વિકલ્પ-અનુભવમાં કેવળ સ્વરૂપસન્મુખ થયું; કેમકે આ જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તે એક કાળમાં એક શેયને જ જાણી શકે. હવે તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્યું ત્યારે અન્યને જાણવાનું સહેજે જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોય તોપણ સ્વરૂપ-ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. આવું વર્ણન સમયસારની ટીકા આત્મખ્યાતિમાં કર્યું છે તથા આત્મા-અવલોકનાદિમાં છે. ” સાધકને નિર્વિકલ્પઅનુભવમાં મતિશ્રુતજ્ઞાન કામ કરે છે. મતિશ્રુતજ્ઞાન તે ક્ષયોપશમભાવે છે, એટલે એક વખતે એક શેયને જ જાણવામાં તે પ્રવર્તે છે; કાં સ્વને જાણવામાં ઉપયોગ હોય ને કાં પરને જાણવામાં ઉપયોગ હોય. કેવળજ્ઞાનમાં તો સ્વ-૫૨ બધાને એક સાથે જાણવાનું પૂરું સામર્થ્ય પ્રગટી ગયું છે, પણ આ જ્ઞાનમાં હજી એવું સામર્થ્ય ખીલ્યું નથી; એટલે જ્યારે સ્વને જાણવામાં ઉપયોગ હોય ત્યારે પરને જાણવામાં ઉપયોગ ન હોય, ને જ્યારે ૫૨ને જાણવામાં ઉપયોગ હોય ત્યારે સ્વને જાણવામાં ઉપયોગ ન હોય. સ્વને જાણવામાં ઉપયોગ ન હોય તેથી કાંઈ અજ્ઞાન થઈ જતું નથી; કેમકે સ્વસંવેદન વખતે જે જ્ઞાન થયું છે તે લબ્ધરૂપે તો વર્તે જ છે. ક્ષયોપશમજ્ઞાનની શક્તિ જ એટલી મંદ છે કે એક વખતે એક તરફ જ તેની પ્રવૃત્તિ હોય છે. એટલે કાં સ્વને જાણવામાં પ્રવર્તે, કાં પરને જાણવામાં પ્રવર્તે. પોતામાં તો જ્ઞાન સાથે આનંદ, પ્રતીતિ, વગેરે બધા ગુણોનું જે નિર્મળ પરિણમન અભેદ વર્તે છે તેને (એટલે કે આખા આત્માને તન્મયપણે જાણે છે. સ્વને જાણતી વખતે આનંદધારામાં ઉપયોગ તન્મય થયો છે તેથી વિશિષ્ટ આનંદ એ નિર્વિકલ્પદશામાં વેદાય છે. જુઓ, આ કાંઈ કેવળજ્ઞાન વખતની વાત નથી, પણ ઘરબારમાં રહેલા ચોથા-પાંચમા ગુણસ્થાનવાળા જીવની આ વાત છે. સાતમા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પ સ્વઉપયોગ જ હોય છે, છઠ્ઠા-સાતમા ગુણસ્થાનવર્તી મુનિને અંતર્મુહૂર્તમાં નિયમથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. ચોથા-પાંચમા ગુણસ્થાને Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy