SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૯ અનુભવ્યું નથી, તે એકત્વ-વિભક્તસ્વરૂપ હું મારા આત્માના સમસ્ત વૈભવથી આ સમયસારમાં દેખાડું છું, હે શ્રોતાઓ! તમે તમારા સ્વાનુભવથી તે પ્રમાણ કરજ... માત્ર શબ્દોથી નહિ પણ સ્વાનુભવથી પ્રમાણ કરજો... અમે જેવો ભાવ કહીએ છીએ તેવો ભાવ તમારા આત્મામાં પ્રગટ કરજો. શબ્દો સામે જોઈને ન અટકશો પણ વાચ્ય તરફ વળીને શુદ્ધાત્માનો સ્વાનુભવ કરજો. અહીં પણ પત્રની શરૂઆતમાં જ સ્વાનુભવનું સ્મરણ કર્યું છે કે “સ્વાનુભવ દ્વારા સહજાનંદની વૃદ્ધિ ચાહું ભગવાન આત્મા ચૈતન્યવસ્તુ છે, તેના મૂળ સ્વરૂપમાં તો રાગનોય પ્રવેશ નથી. અહા ! એકલી ચૈતન્યવસ્તુ, પરથી તો નિરપેક્ષ ને પરભાવોથીયે નિરપેક્ષ, એના પ્રત્યે અંતરમાં ઉલ્લાસ લાવીને જ્ઞાનીના શ્રીમુખે તેની વાત જેણે સાંભળી તેનું પરિણમનચક્ર મોક્ષ તરફ ફર્યું, અલ્પકાળમાં સમ્યગ્દર્શન-શાન–ચારિત્ર અને કેવળજ્ઞાન પ્રગટ કરીને તે મોક્ષ પામશે. ચૈતન્યનો કોઈ અચિંત્ય અપાર મહિમા છે, એ મહિમા જેણે લક્ષગત કર્યો તેણે પોતાના આત્મામાં મોક્ષનાં બીજડાં રોપ્યાં. આ રીતે પત્રના ઉપોદઘાતમાં ચૈતન્યસ્વભાવનો અને તેના સ્વાનુભવનો મહિમા કરીને પછી સામા સાધર્મીના પત્રનો ઉત્તર આપતાં લખે છે કે ભાઈશ્રી, તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિઅનુસાર કંઈક લખું છું તે જાણશો; અને અધ્યાત્મ-આગમના ચર્ચાગર્ભિત પત્ર તો શીઘ્ર શીધ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે અને નિરંતર સ્વરૂપાનુભવમાં રહેશો. શ્રીરહુ.” જાઓ, આમાં પ્રથમ તો પોતાની નિર્માનતા બતાવી છેઃ કયાં શાસ્ત્રોની અગાધતા ને ક્યાં મારી અલ્પબુદ્ધિ! એટલે લખ્યું કે મારી બુદ્ધિઅનુસાર હું કંઈક લખું છું. ગણધર ભગવંતો અને મુનિવરોનું તો અગાધ અપાર સામર્થ્ય છે, સ્વાનુભવનો વિષય તેમને તો સ્પષ્ટ ઝળકે છે. ક્યાં તેમની અગાધ બુદ્ધિ ને ક્યાં મારા જ્ઞાનની અલ્પતા! છતાં સ્વાનુભવની ચર્ચાના પ્રેમથી કહે છે કે હું મારી બુદ્ધિઅનુસાર આપના પ્રશ્નોના કંઈક ઉત્તર લખું છું. વળી સાધર્મી સાથે આવી આધ્યાત્મિક તત્ત્વચર્ચાનો કેટલો પ્રેમ છે! તેથી લખે છે કે ભાઈશ્રી ! અધ્યાત્મની આવી ચર્ચાથી ભરેલા પત્રો વારંવાર લખ્યા કરશો. અને સાથે આવા સાધર્મીઓના પ્રત્યક્ષ મેળાપની ભાવના પણ ભાવી છે. પરંતુ એવો સંયોગ બનવો તે તો ઉદયાધીન છે, તેથી લખે છે કે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy