SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અજ્ઞાની જીવ અનુભવહીન હોવાથી મોક્ષમાર્ગને સાધી શકતો નથી. મિથ્યાદષ્ટિ જીવ ન આગમી છે, ન અધ્યાત્મી છે. -કેમ? કારણ કે તે કથનમાત્ર તો ગ્રંથપાઠના બળવડે આગમ-અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશમાત્ર કહે, પરંતુ આગમ-અધ્યાત્મના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણે નહીં; તેથી મૂઢજીવ આગમી પણ નથી કે અધ્યાત્મી પણ નથી. યથાનિર્વેદ –ાત્ (એટલે તેને તે ભાવનું વેદન નથી.)” અનુભવ વગરનું જ્ઞાન-જાણપણું તેને ખરેખર જ્ઞાન કહેતા જ નથી. શાસ્ત્રનું જાણપણું ભલે કર્યું, વિકાર અને સ્વભાવ જુદા છે એમ શાસ્ત્રથી ભલે જાણ્યું પરંતુ જ્યાં સુધી પોતે જાતે અંતઅનુભવમાં તેવી ભિન્નતા ન અનુભવે ત્યાં સુધી તેને સમ્યજ્ઞાન કહેતા નથી, એટલે મિથ્યાષ્ટિને આગમપદ્ધતિ કે અધ્યાત્મપદ્ધતિ બેમાંથી એક્કયનું જ્ઞાન નથી, તેથી તે નથી તો આગમી કે નથી અધ્યાત્મી. અજ્ઞાની આગમ-અધ્યાત્મનો જાણનાર કેમ નથી?–તો કહ્યું કે તે નિર્વેદક છે માટે; એટલે કે શાસ્ત્રાદિથી જેવું જાણપણું છે તેવું વદન તે કરતો નથી; “આત્માનો શુદ્ધ સ્વભાવ છે ને બંધભાવ તેનાથી ભિન્ન છે”- એમ શાસ્ત્રથી જાણે છે પણ પોતે પોતાના જ્ઞાનમાં તેવા બંધરહિત શુદ્ધ સ્વભાવનું વેદન કરતો નથી તેથી તે નિર્વેદક છે. અનુભવ વગરનું જ્ઞાન સમ્યક નથી. એકલું જાણપણું અનુભવ વગર શું કામનું?–જો કે સૂક્ષ્મ દૃષ્ટિએ તો તેનું જાણપણું પણ ભૂલવાળું છે. સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન વગર સાચું જ્ઞાન હોય નહિ. જ્ઞાનીને કદાચ ભાષા ન હોય-શાસ્ત્રપાઠ ના હોય તો પણ અંદર અનુભવમાં સાચા ભાવભાસનથી તેને સમ્યજ્ઞાન પરિણમી રહ્યું છે, ને તે મોક્ષમાર્ગને સાધે છે. અજ્ઞાનીને શાસ્ત્રજ્ઞાન ભલે કદાચ હોય પણ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy