SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫રમાર્થ વનિકા : ૧૦૭ હોય પણ સ્વચતુષ્ટય બંનેના ભિન્નભિન્ન છે. જીવના અસંખ્ય પ્રદેશોમાં તો કદી એક પણ પ્રદેશ ઘટે કે વધે નહિ, જ્યારે કર્મના અનંત ૫૨માણુઓમાં તો ક્ષણે ક્ષણે અનંતા રજકણોની વધ-ઘટ થયા કરે છે. વળી જીવનો સ્વભાવ સ્થિર-અચલ છે, જ્યારે પુદ્દગલનો સ્વભાવ ચલાચલરૂપ છે. વળી તે પુદ્દગલો અનંત-આકારરૂપ પરિણમે છે; વર્ણ-ગંધ-રસ-સ્પર્સ અથવા પ્રદેશ-પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગની અપેક્ષાએ અનંત પ્રકારો છે તે અપેક્ષાએ અનંત આકારો સમજવા. વળી તે પુદ્ગલો અનેક પ્રકારની બંધરૂપ અવસ્થાપણે કે મુક્તરૂપ અવસ્થાપણે સ્વયં પરિણમવાની શક્તિવાળા છે. જીવના વિકારના નિમિત્તે જે ક્ષણે અમુક કર્મો બંધાતા હોય તે ક્ષણે જ પૂર્વે બંધાયેલા કેટલાક કર્મો છૂટા પડતા હોય, આમ બંધાવું ને છૂટા પડવું–એવી શક્તિ પુદ્દગલદ્રવ્યમાં છે. પં. બના૨સીદાસજીએ જીવ અને પુદ્ગલની ભિન્નભિન્ન શક્તિઓનું ટૂંકમાં ઘણું સરસ વર્ણન નીચેના બે દોહરામાં કર્યું છે समता रमता ऊर्धता ज्ञायकता सुखभास । वेदकता चैतन्यता ये सब जीवविलास ।। तनता मनता वचनता जडता जडसम्मेल । गुरूता लघुता गमनता ये अजीवके खेल ।। (સમયસાર-નાટક ) સમયસારના અમૃતચંદ્રાચાર્યદેવના કળશની શ્રી રાજમલ્લજી રચિત ટીકા ( કલશટીકા ) વાંચ્યા પછી, પં. બનારસીદાસજીએ સમયસારનાટકની રચના કરી છે, તેમાં ઘણા અધ્યાત્મભાવો ભર્યા છે. આ ૫રમાર્થવચનીકા પણ તેમની જ લખેલી છે. જીવ અને પુદ્દગલનો સ્વભાવ ત્રણેકાળ ભિન્નભિન્ન છે, પણ સંસારમાં બંનેનો સંયોગ અનાદિથી છે. તેમાં પુદ્ગલ તો ચલાચલરૂપ, આગમન-ગમનરૂપ, અનંત-આકા૨૫ણે, બંધમુક્ત અવસ્થારૂપ પરિણમે છે-એ બતાવ્યું. હવે સંસારી જીવ કેવી-કેવી અવસ્થારૂપે પરિણમે છે તે બતાવે છે. 卐 Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy