SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્વાનુભવની પ્રેરણા અને સાધર્મપ્રેમપૂર્વક ઉપસંહાર એ પ્રમાણે સમ્યકત્વમાં અને સ્વાનુભવમાં પ્રત્યક્ષાદિ સંબંધી તમે જે પ્રશ્નો લખ્યા હતા તેના ઉત્તર મારી બુદ્ધિઅનુસાર લખ્યા છે; તમે પણ જિનવાણી સાથે તથા પોતાની પરિણતિ સાથે મેળવી લેજો. વિશેષ કયાં સુધી લખીએ? જે વાત જાણવામાં આવે તે લખવામાં આવે નહિ. (રૂબરૂ) મળતાં કંઈક કહેવાય ખરું, પણ મળવું તે કર્માધીન છે. માટે ભલું-ઉત્તમ તો એ છેકે ચૈતન્યસ્વરૂપના ઉધમ તથા અનુભવમાં રહેવુંતેમાં વર્તવું. વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મા છે. (આ સ્વાનુભવ વગેરેનું કથન) સમયસારગ્રંથની અમૃતચંદ્ર-આચાર્યકૃત સંસ્કૃત ટીકા વિષે છે તથા આગમની ચર્ચા ગોમટ્ટસાર વિષે છે, તેમ જ બીજા શાસ્ત્રોમાં પણ છે; તે જાણી છે, પણ તે સર્વ લખવામાં આવે નહિ. માટે તમે અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વ-સ્વરૂપમાં મગ્ન રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલશો. સાધર્મીને તો પરસ્પર ચર્ચા જ જોઈએ મારામાં તો એટલી બુદ્ધિ નથી પરંતુ તમારા જેવા ભાઈઓ સાથે પરસ્પર વિચાર છે. વિશેષ કયાં સુધી લખીએ? જ્યાં સુધી મેળાપ ન થાય ત્યાં સુધી પત્ર તો શીઘ જ લખ્યા કરશો. (મિતિ મહા વદી ૫, સં. ૧૮૧૧)-” પત્ર પૂરો કરતાં પં. શ્રી ટોડરમલજી નિર્માનતાથી લખે છે કે આ ઉત્તર મેં મારી બુદ્ધિ અનુસાર લખ્યા છે. તે જિનવાણી સાથે તથા પોતાની પરિણતિ સાથે તમે મેળવી લેશો. વળી જાણવામાં જેટલું આવે તે બધું ય કાંઈ લખવામાં આવી ન શકે. સ્વાનુભવ વગેરેની ગંભીર ચર્ચા લખાણમાં કેટલી આવે ? જો રૂબરૂ હોય તો એકબીજાના ભાવ જાણીને વધારે સ્પષ્ટતાથી ચર્ચા થાય. એટલે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy