SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ : અધ્યાત્મ-સંદેશ કે મોક્ષમાર્ગ તેને હોય નહિ. મોક્ષમાર્ગના નામે તે ભ્રમથી બંધમાર્ગને જ સેવી રહ્યો છે. અથવા, જીવના પરિણામ ત્રણ પ્રકારના છે: શુદ્ધ, શુભ અને અશુભ. તેમાં મિથ્યાષ્ટિને અશુભની મુખ્યતા ગણી છે, કવચિત શુભ પણ તેને હોય છે, શુદ્ધપરિણતિ તેને હોતી નથી. શુદ્ધપરિણામની શરૂઆત સમ્યગ્દર્શન પૂર્વક જ થાય છે. ચતુર્થાદિ ગુણસ્થાને શુભની મુખ્યતા કહી છે, ને સાથે અંશે શુદ્ધપરિણતિ તો સદાય વર્તે છે. જોકે શુદ્ધ ઉપયોગ કર્યો અરેક કયારેક હોય છે, પણ શુદ્ધ પરિણતિ તો સદૈવ વર્તે છે. અને સાતમા ગુણસ્થાનથી માંડીને ઉપરના બધા સ્થાને એકલો શુદ્ધઉપયોગ જ હોય છે. પરિણતિમાં જેટલી શુદ્ધતા છે તેટલો જ ધર્મ છે, તેટલો જ મોક્ષમાર્ગ છે. જીવ જ્યારે અંતર્મુખ થઈને અપૂર્વ ધર્મની શરૂઆત કરે છે–સાધક ભાવની શરૂઆત કરે છે ત્યારે તેને નિર્વિકલ્પ શુદ્ધઉપયોગ હોય છે. એ નિર્વિકલ્પ સ્વાનુભવ વડે જ મોક્ષમાર્ગના દરવાજા ઊઘડે છે. અહો, આ તો ખરેખરી પ્રયોજનભૂત, સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી સરસ વાર્તા પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે... ને એ અનુભવદશાની તો શી વાત! આપણા જીવનમાં સ્વાધ્યાય-મનન આપણે ખૂબ જ વધારવાની જરૂર છે. કેમકે ઠેઠ સ્વાનુભૂતિ સુધી પહોંચવાનું છે. જે મહાન લક્ષને સાધવા આપણે નીકળ્યા છીએ તેને યોગ્ય પ્રયત્ન ઉપાડવાનો છે. સ્વ “સત્ છે' તેને સતરૂપે દેખવાનું H Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008202
Book TitleAdhyatma Sandesh
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, K000, & K005
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy