SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ તે તેજ થઈને દિશાઓને પ્રગટ કરે છે, અને અંધકાર થઈને સર્વને અંધ કરે છે. તે ચેતન થઈને જંગમ થાય છે અને જડ થઈને સ્થાવર થાય છે. સમુદ્ર થઈને તે પૃથ્વી-રૂપી સ્ત્રીને કંકણ ની જેમ વીંટી લે છે અને આવરણરહિત પરમાત્મા થઈને તે પોતાના પ્રકાશથી વ્યાપેલાં બ્રહ્માંડો-રૂપી અનેક પરમાણુઓને ફેલાવવા છતાં, પણ, નિર્વિકાર રૂપે જ રહે છે. ત્રણે કાળ ના સંબંધ-વાળું જે કંઈ આ દૃશ્ય (જગત) પ્રકાશે છે, પ્રકાશી ગયું છે અને પ્રકાશશેતે સઘળું એ "વિદેહ-મુક્ત-રૂપ" જ છે. રામ પૂછે છે-કે-હે,બ્રહ્મન,એવું તે શી રીતે થવાય? મને તો તે એ સ્થિતિ વિષમ અને ઘણા કષ્ટ થી પ્રાપ્ત થાય એવી લાગે છે અને પામ્યા પછી,પણ તે સ્થિતિ રાખવી તો વધુ કઠિન હોય એમ લાગે છે. વશિષ્ઠ કહે છે કે-મેં જે આ વિદેહ-મુક્ત ની સ્થિતિ કહી છે તે મુક્તિ જ કહી છે. અને જે મુક્તિ છે એ જ બ્રહ્મ છે, તે જ નિર્વાણ છે, અને તે સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિષે હું કહું છું. હું, તું-વગેરે વ્યવહારો વાળું જે કંઈ આ દૃશ્ય જોવામાં આવે છે, તે વિદ્યમાન છતાં પણ "તે ઉત્પન્ન થયું જ નથી" એમ સમજવામાં આવે તો એ નિર્વાણ (મુક્ત-કે-બ્રહ્મ) સ્થિતિ મળે છે. રામ કહે છે-જો વિદેહ-મુક્ત થયેલા પુરુષો તમારા કહેવા પ્રમાણે કૈલોક્ય-રૂપ થતા હોય - તો તેઓ સંસાર-રૂપ જ થાય એમ હું માનું છું. વશિષ્ઠ કહે છે કે જો "કૈલોક્ય" હોય તો તે રૈલોક્ય ના સ્વ-રૂપ ને ધારણ કરે,પણ "રૈલોક્ય" શબ્દથી કહેવાતો કોઈ પદાર્થ જ નથી, તો ત્યાં વિદેહ-મુક્ત રૈલોક્ય-સ્વરૂપ થાય છે-એમ કહેવું બને જ કેમ? માટે આ જગત -શબ્દ થી કહેવાતો કોઈ પદાર્થ પણ છે જ નહિ. મેં ઘણો વિચાર કર્યો, તો પણ સોનાનાં કડા માં મેં નિર્મળ સોના સિવાય કશું -કડા-પણું દીઠું નહિ. જળ ના તરંગ માં હું જળ સિવાય બીજું કંઈ જોતો નથી. વાસ્તવિક રીતે જળ માં તરંગ-પણું છે જ નહિ. જેમ જગતમાં અવકાશ છે તે આકાશ જ છે અને નિર્જળ ભૂમિમાં જળ દેખાય છે તે તેજ જ છે, તેમ આ ત્રૈલોક્ય પણ બ્રહ્મ-રૂપ જ છે. રામ કહે છે કે-હેમુનિ,જે યુક્તિથી જગતનું મિથ્યા-પણું પ્રાપ્ત થાય તે યુક્તિ મને કહો.દ્રષ્ટા અને દૃશ્ય - એકરૂપ થઈને પરસ્પર મળી ગયા છે અને તે બંને નથી-એવી મનની દૃઢ સ્થિતિ થાય ત્યારે - "નિર્વાણ" સ્વ-રૂપ બાકી રહે છે-માટે દ્રષ્ટા અને દૃશય નો બાધ થઇ જાય અને સ્વરૂપે રહેલા એ બ્રહ્મ સમજાય એવી યુક્તિ મને કહો.અને આવો બોધ જો સિદ્ધ થાય તો પછી, કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. વશિષ્ઠ કહે છે કે ઘણા કાળથી ઘર ઘાલી રહેલી આ મિથ્યા જ્ઞાન રૂપી વિશુચિકા (કોલેરા) -એવિચાર-રૂપ મંત્ર થી જ નિર્મુળ થઇ ને શાંત થઇ જાય છે. જોકે આ રોગ ઘણા કાળ થી જામેલો હોવાથી તેને તરત ઉખેડી શકાય તેમ નથી. કારણ કે લીસા પર્વત પર ચડવામાં જેટલો પરિશ્રમ થાય છે તેટલો જ - પરિશ્રમ તે લીસો-પર્વત ઉતરવામાં પણ થાય છે. આથી અભ્યાસ ના યોગ થી,યુક્તિથી અને ન્યાયની જગત-રૂપી ભ્રાંતિ નો નાશ થાય તે રીત હું કહીશ. હે, રામ,હું તમને ઉત્પત્તિ પ્રકરણ કહું છું, તેમાં તમે, આત્મા-એ પોતાનામાંથી ઉત્પન્ન થયેલા જગત થી મુક્ત થઈને કેવી રીતે રહે છે? એ વિષય ને સમજશો.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy