SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં પહેલું “વૈરાગ્ય-પ્રકરણ” છે. જેમ નિર્જળ પ્રદેશમાં પાણી રેડવાથી,ઝાડ-પાન વધે થાય) છે, તેમ,અભ્યાસ” થી “વૈરાગ્ય” વધે છે.વળી, જેમ, મણિ ને સારી રીતે લુછી નાખવાથી,મણિની શુદ્ધતા ઝળકી ઉઠે છે,(ચમકી ઉઠે છે), તેમ,તેમ એ પ્રકરણ ના દોઢ હજાર શ્લોકો નો “વિચાર” કરવાથી,હૃદયમાં શુદ્ધતા ઝળકી ઉઠે છે. વૈરાગ્ય પ્રકરણ પછી એક હજાર લોકો નું,અને યુક્તિઓ ની રચનાથી સુંદર, “મમ” નામનું બીજું પ્રકરણ છે. જેમાં મુમુક્ષુ મનુષ્યોના સ્વભાવનું વર્ણન કર્યું છે. તે પછી,ઘણાં દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ વાળું, ત્રીજે-“ઉત્પત્તિ” પ્રકરણ છે. કે જેમાં વિજ્ઞાનનું પ્રતિપાદન કર્યું છે.તેમાં સાત હજાર લોકો છે. ઉત્પત્તિ પ્રકરણમાં “હું અને આ” એવા “રૂપ-વાળી-જગત-સંબંધી” દ્રષ્ટા ની,તથા,દ્રશ્યોની,”વિચિત્રતા” (ખરેખર) ઉત્પન્ન થઇ જ નથી,પણ “ભ્રાંતિ” ને લીધે તે ઉત્પન્ન થયેલી દેખાય છે,એ વિષે વર્ણન કર્યું છે. એ પ્રકરણ સાંભળવાથી શ્રોતા (મનુષ્ય) આ સઘળાં જગતને પોતાની અંદર જ કલ્પાયેલું સમજે છે. દ્રષ્ટા (જોનાર) અને દૂય ના પરસ્પર અધ્યાસ (આરોપ) વાળું,અનંત બ્રહ્માંડો ના વિસ્તાર-વાળું, અને પ્રત્યેક બ્રહ્માંડ માં “લોક-આકાશ-પર્વતો-વગેરે-વાળું” જગત, “કોઈ-અમુક રીતે” નિરૂપણ (વર્ણન) કરવાને અશક્ય છે, એટલેકે કોઈ અમુક રીતે તેનું વર્ણન શક્ય નથી) એ ઉત્પત્તિ, પ્રકરણ પછી,ચોથું “સ્થિતિ” પ્રકરણ છે. તેમાં ત્રણ હજાર લોકો છે, અને,"દ્રષ્ટા અને દૃશય ના ક્રમ” ને પામેલું “બ્રહ્મ” જે રીતે “ભોગ્ય તથા ભોક્તા” રૂપે સ્થિતિ પામેલું છે,તેવો અને “જગત-રૂપી” ભ્રમ,જે રીતે વૃદ્ધિ પામ્યો છે, તેની રીતનું ઘણું વર્ણન કર્યું છે. તે પછી પાંચ હજાર શ્લોક નું પાંચમું “ઉપ-શમ” પ્રકરણ છે, તેમાં,”આ જગત,હું,તું અને તે” એવી રીતે ઉઠેલી ભ્રાંતિ (ભમ)જે પ્રકારથી શાંત થાય-તે પ્રકાર કહ્યો છે. જે સાંભળવાથી જીવન-મુક્ત થયેલા પુરુષનો જન્મ-મરણ-રૂપી સંસાર શાંત થઇ જાય છે. છઠ્ઠ પ્રકરણ “નિર્વાણ પ્રકરણ” છે.જેમાં સાડા ચૌદ હજાર શ્લોકો છે. અને તે,” જ્ઞાન-રૂપી” મહાન પુરુષાર્થ ને આપનારું છે. એ પ્રકરણ યથાર્થ સમજાયાથી, “મૂળ-અવિદ્યા” નો પણ નાશ થાય છે.અને તેથી સઘળી “કલ્પનાઓ ની શાંતિવાળું, પરમ કલ્યાણ રૂપ “નિર્વાણ” (બ્રહ્મ-રૂપ) પ્રાપ્ત થાય છે. બ્રહ્મરૂપ થયેલા,એ “જીવન-મુક્ત” પુરુષનાં કરોડો રૂવાંડા માંના “એક-રૂવાંડા"જેવી “અવિદ્યા (માયા) ના “એકાદ-ભાગમાં” આ જગતનું સૌન્દર્ય વાસ કરીને રહે છે. જે, “વ્યાપક-ચૈતન્ય-રૂપ-પરબ્રહ્મ” ના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં હજારો બ્રહ્માંડો ની રચનાઓ બનાવીને જુએ છે. તે,”પર-બ્રહ્મ-જીવનમુક્ત” ના “સ્વ-રૂપ-ભૂત” જ છે. આવા જીવનમુક્ત થયેલા “મહા-મતિ” (મહા-બુદ્ધિશાળી) પુરુષના હૃદયની વિશાળતાનું માપ, સેંકડો-કે લાખો,વિષ્ણુઓ,શિવ કે બ્રહ્મા થી કરી શકાતું નથી. કારણકે-સર્વોત્તમ-“બ્રહ્મ-રૂપ” થયેલા જીવન-મુક્ત ના હૃદય ની વિશાળતા અપાર જ છે. (૧૮) ગ્રંથ ના ગણ
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy