SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ, સમજુ પૂછનાર ને જોઈને વક્તા નો યથાર્થ “વસ્તુ વિચાર” પ્રફુલ્લિત થાય છે. જે પુરુષ ની બુદ્ધિ પૂર્વી પરનો વિચાર કરીને,અર્થ નું રહસ્ય સમજવામાં –સુંદર અને ચતુરાઈવાળી છે, અને જેની બુદ્ધિ અતિ-પ્રફુલ્લિત છે,-તે જ - અહીં “પુરુષ” કહેવાય છે. હે રામ,તમે પ્રફુલ્લિત થયેલા,સ્વચ્છ,અજ્ઞાન ને છોડનારા,ઉત્તમ વિચારરૂપ શીતળતા વાળા અને, સમતા-સૌજન્ય-વગેરે ગુણોવાળા હૃદયથી શોભો છો. (૧૨) જ્ઞાન નું માહાસ્ય અને રામની યોગ્યતા વશિષ્ઠ કછે છે કે-હે,રામ,તમે પરિપૂર્ણ મનવાળા છો,અને માન આપવા યોગ્ય છો.તમે પ્રશ્ન કરવાની રીતને જાણો છો,અને કહેલી વાત ને સમજો છો માટે હું તમને,આદરથી કહેવા તત્પર થયો છું. તમે રજોગુણ અને તમોગુણથી રહિત અને શુદ્ધ સત્વગુણને અનુસરનારી, બુદ્ધિ ને હૃદયમાં સ્થાપન કરીને,તે અમૂલ્ય જ્ઞાન સાંભળવાને સજ્જ થાઓ. જયારે “પોતાનું-સ્વ-રૂપમાં જોવામાં આવે છે ત્યારે, જે કોઈ “આરંભમાં છે, અને જે કોઈ “વિચારો” છે, તે શાંત થઇ જાય છે. અને, આવી, (જ્ઞાનથી મળતી) વિશ્રાંતિ,જો ઉત્તમ મનવાળાને મળતી ના હોત તો, આ સંસારમાં કયો સાધુ પુરુષ “સાધનો” (જ્ઞાન મેળવવાના સાધનો) ના અપાર પરિશ્રમને સહન કરે? પરમ જ્ઞાનનો સંબંધ થતાં,મન ની સઘળી વૃત્તિઓ પીગળી જાય છે.અને દુઃસહ (સહન ના કરી શકાય તેવો) અને સંસાર ના ઝેરથી થયેલો રોગ,”આત્મ-બોધ-રૂપી” મંત્ર થી શાંત થાય છે.અને એ “આત્મ-બોધ” મેળવવાનું,”ગુપ્ત રહસ્ય” તે સજ્જનો સાથે નો “શાસ્ત્ર વિચાર” છે. “વિચાર” કરવાથી સઘળાં દુ:ખોનો અવશય ક્ષય થાય છે, એમ સમજવું. જેમ,સર્ષ જૂની કાંચળી છોડી દઈ ને સંતાપ-રહિત થાય છે, તેમ,વિચારવંત પુરુષે સઘળી ચિંતાઓના પિંજર ને છોડી દઈ ને સંતાપ-રહિત થવું,અનેસદ-વિચાર થી યથાર્થ અને ઉત્તમ બ્રહ્મ-વિદ્યા ને પામવું.અને બ્રહ્મ-વિદ્યા ને પામેલો, પુરુષ, તે સર્વ જગતને વિનોદ થી (હસતા-હસતા) ઇન્દ્રજાળ ની પેઠે જોયા કરે છે. પણ જેને બ્રહ્મ-વિદ્યા પ્રાપ્ત થઇ નથી તેને આ જગત દુ:ખ-રૂપ ભાસે છે. અત્યંત વિષમ એવો સંસાર પ્રત્યે નો રાગ (આસક્તિ)- એ-(મનુષ્યને) ઝેરી સર્પ ની પેઠે કરડે છે,તલવાર ની પેઠે કાપી નાખે છે, રસ્સી ની જેમ બાંધી લે છે, અગ્નિ ની પેઠે બાળે છે, રાત્રિ ની પેઠે અંધ કરી નાખે છે અને જેમ,પથરો ઓચિંતો આવી ને પડે તેમ પડી ને માનવી ને પરવશ (અને દુઃખી) કરી નાખે છે. તે “બુદ્ધિ" ને હરી લે છે,સ્થિતિ (સ્થિરતા) નો નાશ કરે છે, "મોહ-રૂપી” ઉંડી ખાઈ માં ધકેલી દે છે, અને તૃષ્ણા થી જર્જરિત કરી નાખે છે. એવું કોઈ પણ દુઃખ નથી કે સંસારી-મનુષ્ય ને પ્રાપ્ત થતું નથી. આ સંસારના “વિષયો” ના સંગ-રૂપી ઝેરના –પરિણામો બહુ જ માઠાં (ખરાબ) છે. જો એનો ઉપાય ના કરવામાં આવે તો-“નરક-સ્થાનો ના ફળ-રૂપે” એ રોગ મહા-પીડાઓ ઉત્પન્ન કરે છે. હજારો “કષ્ટ-દાયી” ચેષ્ટાઓથી દારુણ (દુ:ખી) એવા-આ-“સંસાર-રૂપી-હાલતા-ચાલતા યંત્ર” વિષે ઉપેક્ષા કરવી નહિ પણ તેને વિષે અવશ્ય વિચાર કરવો,અને એવું સમજવું કે “શાસ્ત્ર-વિચાર” જ તેનો ઉપાય છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy