SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આવું જે લોકો નું કહેવું (કહે) છે તે દૈવ કહેવાય છે. સારું અથવા ખરાબ –ફળ મળ્યા પછી, “પૂર્વે મેં આવું કર્મ કર્યું હતું-તેનું આવું ફળ મળ્યું” આવું ધારણા આપનારું જે વચન કહેવામાં આવે છે તે દૈવ કહેવાય છે. શ્રીરામ કહે છે કે-હે,મુનિરાજ,પૂર્વજન્મ માં સંગ્રહ કરેલાં કર્મો તે દેવ કહેવાય છે, તેવું તમે કહ્યું હતું અને હવે તમે “તે દૈવ તો છે જ નહિ” એમ શા માટે કહો છો? વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમે બધું બહુ સારી રીતે જાણો છો,માટે તમને હું એવી સંપૂર્ણ રીતે કહીશ કેજેથી તે “દેવ” નથી જ-એવો તમારા મનમાં દૃઢ નિશ્ચય થશે.ને બુદ્ધિ સ્થિર થશે. સૌ પ્રથમ તો –મન ની જે ઘણી વાસનાઓ છે તે,સર્વ મનુષ્યનાં “કર્મ-રૂપે” પરિણામ પામે છે. એટલે કે જે મનુષ્યમાં જેવી વાસના ઉઠે કે તરત જ તે પ્રમાણે તે વાસના મુજબ નું જ કર્મ કરે છે. મનમાં જે વાસના હોય,તેનાથી જુદું કર્મ કરે તેમ બની શકતું જ નથી. જેમ કે,જો મનુષ્ય ને ગામમાંથી શહેર જવાની વાસના થાય તો તે શહેર માં જશે,જ. બીજે ક્યાંય નહિ.એટલે જેવી વાસના ઉઠે તે પ્રમાણે જ મનુષ્ય કર્મ કરવાનો પ્રયત્ન કરે છે. પૂર્વે (પૂર્વ-જન્મ માં) ઉત્કૃષ્ટ ફળ ની ઈચ્છાથી જે કર્મ કર્યું હોય, તે,આ જન્મમાં “દેવ” ના નામે ઓળખાય (કહેવાય) છે.કર્મ કરનારાઓ નાં સર્વ કર્મો એ રીતે જ થાય છે. જે કર્મ છે,તે પોતાની વૃદ્ધિ પામેલી “વાસના” જ છે. આ વાસના ઉભી થવાના “કારણ-રૂપ”,પોતાના “મન” થી જુદી નથી.(એટલે કે વાસના,મન-રૂપ છે) અને પાછું તે “મન” એ પરમાત્મા નું રૂપાંતર (વિવર્ત-રૂપ) હોવાથી,"પરમાત્મા-રૂપ” જ છે. આ ઉપરથી,જે દૈવ છે તે કર્મ જ છે, ને જે કર્મ છે તે વાસના જ છે, જે વાસના છે તે મન-રૂપ છે,અને,મન, એ પરમાત્મા-રૂપ છે. માટે “દૈવ’ નથી એવો નિશ્ચય થાય છે. ઉપર પ્રમાણે મન-વગેરે ના રૂપ માં પરિણામ પામેલો “આત્મા” જે જે કર્મને સારું માની ને કરે છે, તે કર્મ ના ફળને “આત્મા-રૂપ” દૈવ થી પ્રાપ્ત કરે છે. હે રામ, મન અનિર્વચનીય છે. અને સત્પુરુષો એ તે મન ને-મન,ચિત્ત,વાસના,કર્મ,દૈવ અને નિશ્ચય-એવાં નામો આપેલાં છે. અને મન એ આત્માનું જ રૂપાંતર હોવાને લીધે, અનેક નામો વાળો તે આત્મા,નિત્ય દૃઢ ભાવે જે પ્રયત્ન કરે છે,તે પ્રમાણે તે સંપૂર્ણ ફળ પામે છે. આ પ્રમાણે સઘળું પુરુષાર્થ થી જ પ્રાપ્ત થતું હોવાથી,તમે કલ્યાણકારી પુરુષાર્થ કરો. 45 શ્રીરામ કહે છે કે-મને પૂર્વ ની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તે પ્રમાણે હું રહું છું, હું તો વાસનાઓને વશ છું,તે આવો પરવશ હું બીજું શું કરી શકું? વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમારી વાસનાઓ તમને,અનુકૂળ છે,તેથી તમે પોતાના પ્રયત્નથી પુરુષાર્થ કરીને અક્ષય-સુખ ને પામી શકશો.પુરુષાર્થ વગર તે સુખ મળી શકતું નથી. તમારી જન્મ ની વાસના “શુભ અને અશુભ” એમ બે પ્રકારની,કે બે માંથી એક પ્રકારની હોવી જોઈએ.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy