SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 40 વસિષ્ઠ બોલ્યા-જેવી રીતે પ્રકાશ,એ જુદા જુદા રંગો (ધોળા-પીળા-વગેરે) પ્રગટ કરવામાં કારણરૂપ છે, તેવી રીતે,શાસ્ત્ર પ્રમાણે ચાલનારા લોકોની પ્રવૃત્તિ જ સઘળા પુરુષાર્થોની સિદ્ધિ માં કારણરૂપ છે. જો મનુષ્ય, મનથી માત્ર ઈચ્છા જ કરે પણ શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ (કર્મ) કરી તેને સિદ્ધ ના કરે તો, તે માત્ર ગાંડપણ (ઘેલા-પણું) છે,એનાથી કશું સિદ્ધ થતું નથી, પણ ઉલ્ટા નો મોહ ઉત્પન્ન થાય છે. જે જે રીતે કર્મ (પુરુષાર્થ) કરવામાં આવે છે, તે તે રીતે તેનું ફળ મનુષ્ય ને મળે છે.અને, પૂર્વ-જન્મ નાં જે જે કર્મો (પુરુષાર્થ) ફળ (ભોગ) આપવા તૈયાર થાય છે, તેને “દૈવ” (પ્રારબ્ધ) કહે છે, અને તે “પ્રારબ્ધ-રૂપ” કર્મો નું ખંડન (નાશ) આ જન્મ નાં સત્કર્મો (પુરુષાર્થ) થી કરી શકાય છે. પુરુષાર્થ બે પ્રકાર નો છે. (૧) શાસ્ત્ર ને અનુસરી ને કરવામાં આવતા પુરુષાર્થ નું ઉત્તમ ફળ મળે છે, (૨) શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવતા પુરુષાર્થ થી અનર્થ ઉત્પન્ન થાય છે. વળી,(૧) પૂર્વ જન્મ નો પુરુષાર્થ અને (૨) આ જન્મ નો પુરુષાર્થ-એ બંને સમાન ના હોય તો પણ, તે ઘેટાં ની પેઠે પરસ્પર યુદ્ધ કર્યા કરે છે, અને થોડા “બળ-વાળો” હોય તે હારી જાય છે. માટે જ,પુરુષ શાસ્ત્ર ના નિયમ પ્રમાણે આ જન્મ માં એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી, તે પૂર્વ જન્મ ના પુરુષાર્થ નો ઝટ પરાજય કરે. અને આમ આ જન્મ માં સારી રીતે પુરુષાર્થ કરવા છતાં કોઈ વખતે જો અનર્થ થાય (જણાય) તો, તેનું કારણ પૂર્વ જન્મનો પુરુષાર્થ-બળવાન હશે તેમ માની ને, વધુ ઉત્સાહપૂર્વક ,દાંત પીસીને અધિક બળથી પુરુષાર્થ કરવો –કે જેથી તે પૂર્વ જન્મ નો પુરુષાર્થ હારે. “પૂર્વ-જન્મ નો પુરુષાર્થ (કે જેને પ્રારબ્ધ કહીને) જ મને આ સર્વ કામ માં જોડે છે” એવી બુદ્ધિને પગ તળે કચડી દેવી,કારણકેઆ જન્મના “પ્રત્યક્ષ” પુરુષાર્થ આગળ,એ પૂર્વ જન્મનો “અપ્રત્યક્ષ” પુરુષાર્થ વધારે પ્રબળ થઇ શકતો નથી. એટલે જ્યાં સુધી,પૂર્વ-જન્મ નો અશુભ પુરુષાર્થ પોતાની મેળે શાંત પડી જાય નહિ, ત્યાં સુધી, આ જન્મમાં અત્યંત પુરુષાર્થ કરવામાં મનુષ્ય, પ્રયત્ન થી મંડ્યા રહેવું જોઈએ. જેમ,ગઈકાલે જો અજીર્ણ (અપચો) થયું હોય, તો આજે ઉપવાસ કરવાથી તે મટી જાય છે, તેમ,પૂર્વ-જન્મ નો દોષ,આ જન્મમાં કરેલાં શુભ કર્મો (પુરુષાર્થ) થી નાશ પામે છે, તેમાં સંદેહ નથી. માટે જ ઉત્સાહવાળી બુદ્ધિથી, પ્રયત્ન કરીને,પૂર્વ-જન્મ ના દુષ્ટ પુરુષાર્થ (પ્રારબ્ધ) નો પરાજય કરી, આ સંસારમાંથી પોતાનો ઉદ્ધાર કરવા,શ્રવણ, મનન-વગેરે જેવાં સાધનો મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, જેવી રીતે મનુષ્યોએ બનાવેલા પાંજરામાં પુરાયેલો સિંહ, પુરુષાર્થ કરીને તેમાંથી બહાર નીકળી જાય છે, તેમ,જીવે પણ પુરુષાર્થ કરી સંસાર રૂપી પિંજરમાંથી બહાર નીકળી જવું યોગ્ય છે. “પોતાનો દેહ નાશવંત છે”આવો વિચાર નિત્ય કરવો અને પશુ ના જેવા ના થતાં,યોગ્ય કર્મો કરવાં. પણ,જેવી રીતે,શરીર પર પડેલા ઘા માં, પડેલ જીવડો,માંસ અને પરું નું ભક્ષણ કરી ને તેમાં જ આનંદ પામી ને, પોતાનું આયુષ્ય વ્યર્થ ગાળે છે, તેમ મનુષ્ય ઘરમાં રહીને અનેક પ્રકારના ભોગોને ભોગવવામાં જ આનંદ મળે છે, તેવું વિચારીને પોતાનું આયુષ્ય વ્યર્થ રીતે ગાળવું જોઈએ નહિ. આ જગતમાં દૈવ (પ્રારબ્ધ) નામની કોઈ વસ્તુ છે જ નહિ,
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy