SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 243 અને એ અંધકારનો નાશ થયા પછી, એવું કંઈ પણ નથી કે જે ના દેખાય, એવું કંઈ પણ નથી જે પોતાનું ના થાય, એવું કંઈ પણ નથી કે જેનો ત્યાગ ના થાય,અને એવું કંઈ પણ નથી જેનું મારણ ના થાય. કારણકે સર્વ પોતાનું છે અને સર્વ પારકું પણ છે. સર્વ-વસ્તુ, સર્વદા સર્વ-રૂપ થાય-એ જ પરમ-અર્થ (પરમાર્થ) છે. જેમ માટીના કાચા ઘડાને પાણીમાં રાખવાથી તે પાણીમાં એક-રસ-રૂપ થઇ જાય છે, તેમ,સર્વ દૃય પદાર્થ,તથા તેનો બોધ-એ સર્વ બ્રહ્મ-રસ-પણા ને પામી જાય છે. રામ કહે છે કે-હે, પ્રભુ,મન નો ક્ષય થવાથી સર્વ દુઃખ નો અંત થાય છે-એમ આપે કહ્યું, તો તે ચપળ વૃત્તિ વાળા મન ની અસત્તા કેમ થાય તે મને કહો. વશિષ્ઠ કહે છે કે-મન ને શાંત કરવા માટે તમને હું યુક્તિ કહું છું તે તમે સાંભળો. કે જેનાથી પરમાત્મામાં મનોવૃત્તિ નો લય થઇ જશે. પહેલાં મેં તમને પહેલાં કહ્યું છે કે-સર્વ પ્રાણી ની “સાત્વિક રાજસિક-તામસી” એવી જાતિ છે. તે કહેલામાં પ્રથમ તો મન ની કલ્પના વડે “હું ચતુર્મુખ બ્રહ્મસ્વરૂપ છું” એવી કલ્પના “બ્રહ્મા” ને થઇ. એ બ્રહ્મા સત્ય સંકલ્પ હોવાથી, જે જે સંકલ્પ કરે છે, તે તે જુએ છે. (તે સંકલ્પો માં જન્મ-મરણ-સુખ-દુઃખ-તથા મોહ ની કલ્પના થયેલી છે) અને “બ્રહ્મા ના એક દિવસ” સુધી, એ સર્વ રચના રહે છે. ત્યાર પછી,એ બ્રહ્મા-સહિત ભવનનો આડંબર “વિષ્ણુ” માં લય થઇ જાય છે. અને જયારે ફરીથી સૃષ્ટિ નો સમય થાય છે.ત્યારે વિષ્ણુ ના નાભિ-કમળ માંથી ઉત્પન્ન થયેલા “બ્રહ્મા”પોતાના સંકલ્પ થી પહેલાના જેવી જ રચના કરે છે. ત્યાર પછી પણ-તેનો લય અને ઉત્પત્તિ એવી જ રીતે થાય છે. અને એવી રીતે વારંવાર ઉત્પત્તિ અને લય થયા કરે છે. આ રીતે આ બ્રહ્માંડમાં અને બીજા બ્રહ્માંડમાં –અનંત બ્રહ્મ-કોટિ રહેલી છે. એમ ને એમ એની રચના થઇ ગયેલી છે અને એવી રચના થતી રહેશે.તેની ગણતરી પણ થઇ શકતી નથી. ઉપર-પ્રમાણે કરેલી કલ્પનામાં (કલ્પના પ્રમાણે)ઈશ્વર પાસેથી આવેલો જીવ, કેવી રીતે જીવે છે અને કેવી રીતે મુક્ત થાય છે તે તમે સાંભળો. પ્રથમ ઉત્પન્ન થયેલી “બ્રહ્મા ની મન-શક્તિ” --તેની પાસે રહેલા “આકાશની શક્તિ” નો આધાર લે છે.અને --તે આકાશમાં રહેલી “પવન-શક્તિ” ને અનુસરે છે.જેથી, તે કંઈક “ચલન-રૂપ-ઘાટા-સંકલ્પ-પણા” ને પામે છે. -ત્યાર પછી-શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-અને ગંધ-એ “તન્માત્રા” સહિત, પૃથ્વી-જળ-તેજ-વાયુ-અને આકાશ એ પંચમહાભૂતને પામે છે. --ત્યાર પછી,એ મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત-વગેરે મનની "જીવ-ઉપાધિ" થી સ્થળ "પ્રકૃતિ-રૂપ" થાય છે. અને આકાશ,પવન,તેજ અને જળના “રૂપ ના સંકલ્પથી” ક્રમ-પૂર્વક “હિમ-રૂપે” (ઘન-રૂપે) થાય છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy