SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ 240 પણ તત્વતઃ “હું, મારું” વગેરે કોઈ પણ "કલ્પના" એ "સત્ય" નથી, જેમ,અજ્ઞાન થી દોરીમાં સર્પ ની બુદ્ધિ નો ઉદય થાય છે,ને જ્ઞાન થી તેનો નાશ થાય છે, તેમ,અજ્ઞાન થી સંસાર નો ઉદય અને જ્ઞાન થી સંસાર નો નાશ થાય છે. જ્ઞાની ની દ્રષ્ટિએ તો-આકાશ-વગેરે સર્વ બ્રહ્મ-રૂપ જ છે.માટે તમે જ્ઞાની થાઓ.વાસનાનો ત્યાગ કરો. દેહમાં આત્મ-ભાવ ની ભ્રાંતિ રાખીને તમે અજ્ઞાની ની પેઠે શા માટે રોદણાં રડો છે? દેહ તો જડ અને મૂંગો છે, તેની સાથે તમારે શો સંબંધ છે? એ દેહમાં પરવશ-પણું રાખીને શા માટે દુઃખ ને વહોરો છે? લાકડું અને તેમાંથી નીકળતો) ગુંદર- એ બે જોકે એકબીજાની સાથે છે, તો પણ એક બીજા ને સંબધ નથી, તેમ દેહ અને દેહધારી –એ બંને જો કે એક દેખાય છે છતાં નથી. જેમ, ધમણ ને બાળી નાખવાથી તેમાં રહેલા પવન નો નાશ થતો નથી, તેમ,દેહનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી. હે, રામ, હું સુખી છું કે દુઃખી છું-એમ માનવું તે માત્ર એક ભ્રાંતિ જ છે.માટે તેનો ત્યાગ કરો.અને એક સત્ય વસ્તુ નો આશ્રય લો. અહો,એ આશ્ચર્ય છે કે બ્રહ્મ-રૂપી સત્ય વસ્તુને મનુષ્યો ભૂલી ગયા છે, અને અવિદ્યા-રૂપી અસત્ય વસ્તુને સ્મરણમાં (યાદ) રાખે છે. માટે હે,રામ,એ અવિદ્યા ને તમે અવકાશ આપો નહિ, કારણકે અવિદ્યા એ ચિત્તને હરાવે છે, અને આ સંસાર બહુ કષ્ટ થી પાર કરી શકાય-તેવો થઇ પડે છે. મન ના મનન થી વૃદ્ધિ પામેલી,દુઃખ દેનારી,અને મહામોહનરૂપી ફળ આપનારી અવિદ્યા વડે, રૌરવ નર્ક ની પણ કલ્પના થાય છે અને પછી દાહ-શોષ વગેરે નરક ના અનુભવો પણ થાય છે. જળ થી ભરેલા તળાવમાં તે ઝાંઝવાના જળ નો અનુભવ કરાવે છે, તે,આકાશમાં નગરનું નિર્માણ કરાવે છે, તથા સ્વપ્ન-આદિ અવસ્થામાં સુખ-દુઃખ ના અનુભવ કરાવે છે. સંસારની વાસના જો મનુષ્યના મનમાં પુરાઈ ના રહેતી હોય તો –જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં – દુઃખ પેદા થઇ મનુષ્ય ને -તે-શા માટે આપત્તિ માં નાખે? મિથ્યા જ્ઞાન ની ઉત્પત્તિ થવાથી,સ્વપ્ન-રૂપ આ સંસારની ભૂમિ માં અનર્થ રૂપ નરક ની યાતના જોવામાં આવે છે. અવિદ્યામાં પરવશ થવાથી રાજાને પણ ચંડાળ જેવી અયોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. હે, રામ,સંસારના બંધનરૂપ તેવી એ વાસનાનો ત્યાગ કરો.અને સ્ફટિક જેવા સ્વચ્છ થઈને રહો. જેમ,સ્ફટિક વિચિત્ર પ્રતિબિંબ નું ગ્રહણ કરે છે તો પણ તે તેમાં આસકત નથી, તેમ તમે પણ સર્વ કાર્યમાં રહેવા છતાં,રાગથી વિરક્ત (અનાસક્ત) રહો. જો, તમે બ્રહ્મસ્વરૂપ ને જાણનાર તત્વ-વેતા ના સમાજમાં જશો, ને, ત્યાં વારંવાર વિચાર કરીને બ્રહ્મ-ભાવ નો દૃઢ નિશ્ચય કરશો, વળી,તેથી પ્રકાશ પામનારી તથા,નિરંતર સારાં આચરણ વાળી,ઉત્તમ બુદ્ધિ થી તમે વ્યવહાર કરશો, તો જન્મ-મરણ ના વિભ્રમનો વિનાશ થશે,ને તમે અનુપમ પદ ને પામશો. (૧૧૫) લવણ-રાજાને પડેલી આપત્તિ નું કારણ રામ કહે છે કે અહો,એ આશ્ચર્ય છે કે-કમળમાંથી ઉત્પન્ન થયેલા તંતુ વડે,પર્વત નું બંધન થાય છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy