SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 232 માટે આ મન ની શક્તિ જુઓ !! મનુષ્ય નું મન જયારે બીજી વસ્તુમાં લાગેલું હોય ત્યારે તે પોતાના મુખ થી જે જમતો હોય તેના સ્વાદની તેને ખબર પડતી નથી. મન વડે જે પદાર્થ જોયો હોય તે જ જોયો કહેવાય,અને મનથી ના જોયેલો પદાર્થ જોયેલો કહેવાય નહિ. કારણકે અંધારામાં જોયેલા પદાર્થ ની પેઠે,મન થી ના જોયેલા પદાર્થના રૂપ ની ખબર પડતી નથી. ઇન્દ્રિયો થી મન એ દેહવાન છે (જીવે છે કે સજીવ છે) અને મનથી ઇન્દ્રિયો દેહવાન છે.(જીવે છે) એવી રીતે મન તથા ઇન્દ્રિયો નું પરસ્પર સરખા-પણું કહ્યું છે. તેમ છતાં પણ –તત્વતઃ (સત્યમાં) મનમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થયેલી છે, ઇન્દ્રીયોમાંથી મન ઉત્પન્ન થતું નથી. તેથી મન એ ઊંચું (સર્વોત્કૃષ્ઠ)છે. ચિત્ત અને શરીર એ જોકે અત્યંત ભિન્ન છે, તો પણ જે મહાત્મા તેમની એકતા (એટલે કે બંને જડ છે) એ એમ માને છે તે પંડિતો નમસ્કાર કરવા યોગ્ય છે. જો કોઈ અતિસુંદર સ્ત્રી કોઈ મન વિનાના મનુષ્યને આલિંગન કરે –તો પણ તે મન વિનાના મનુષ્યને તે ભીંત ની પેઠે કોઈ વિકાર કરી શકતી નથી. “વીતરાગ” નમન એક મુનિ ધ્યાનસ્થ હતા ત્યારે વનનો રાક્ષસ તેમનો હાથ ચાવી ગયો તો પણ તેમને ખબર પડી નહોતી.(ધ્યાન અવસ્થામાં મન ની હાજરી રહેતી નથી!!) મુનિ ની અભ્યાસ વડે દૃઢ કરેલી મનોભાવના દુઃખ ને સુખરૂપ કે સુખ ને દુઃખ-રૂપ કરવાને સમર્થ હતી. મનુષ્ય નું મન જયારે બીજી જગ્યાએ લાગેલ હોય છે...ત્યારે તેની સામે પ્રયત્ન થી કહેવાતી કથા,પણ પરશુથી (કુહાડી જેવું એક અસ્ત્ર) કાપેલી લતા (વેલા) ની પેઠે કરમાઈ જાય છે. (એટલે કે તેની પાસે કઈ કથા કહેવામાં આવી ? તેની તેને ખબર પડતી નથી) જેમ,લવણ-રાજાને મન ના પ્રતિભાસથી જ ચંડાળ-પણું પ્રાપ્ત થયું હતું, તેમ,આ બ્રહ્માંડ એ મન ના મનન-માત્ર છે.મનમાં જેવું જેવું સંવેદન થાય છે તેવા તેવા અનુભવ થાય છે. માટે,હે, રામ તમને જેમ ઈચ્છામાં આવે તેમ કરો. લવણ-રાજાની પેઠે,મનના પ્રતિભાસથી-દેવતામાં દૈત્ય-પણું અને હાથમાં પર્વત-પણું દેખાય છે. જન્મ-મરણ પણ મન ના સંકલ્પ થી જ થાય છે, અને મનના ઘણા અભ્યાસથી, શૂન્ય આકાર જીવ-પણા ને પામે છે.એટલે કે-મનન થી જેને - મોહ-વાળી વાસના પ્રાપ્ત થયેલી છે, તેવું મન,સુખ-દુઃખ-ભય-અભય-રૂપ જન્મ ના સ્થાન ને પામે છે. જેમ,તલમાં તેલ રહેલું છે તેમ,મનમાં સુખ-દુ:ખ રહેલા છે. જેમ,તલને દબાવવાથી તેમાં તેલ સ્પષ્ટ દેખાય છે, તેમ મન ને મન ના સંગ થી સુખ-દુઃખ સ્પષ્ટ જણાય છે. હે,રામ, સંકલ્પ જ –દેશ-કાળ ના નામથી વ્યવહાર કરે છે અને તે સંકલ્પ જ દેશ-કાળ નું કારણ છે. શાંત થવું,ઉલાસ થવો,જવું,આવવું,આનંદ થવો કે નાચવું-એ બધું મન-રૂપી શરીર નો સંકલ્પ સિદ્ધ થવાથી જ થાય છે. સંકલ્પથી કલ્પેલા અનેક પ્રકારના તરંગો થી,મન –એ –દેહમાં વિહાર કરે છે. જે મનુષ્ય,પોતાના મનને વિષયોના અનુસંધાન માં જવા દેતો નથી તેનું મન સ્થિર થાય છે અને સ્થિર રહે છે. એટલે કે- જેનું મન ચલાયમાન થતું નથી-તેને જ ખરેખર પુરુષ સમજાવોબાકીના કાદવ ના કીડા છે તેમ સમજવું. હે રામ,જે મનુષ્ય નું મન ચપળ ના થતાં એક સ્થળે સ્થિર થઈને રહે છે, તે મનુષ્ય ધ્યાનથી ઉત્તમ પદવી પામે છે.મન ને નિયમ માં રાખવાથી સંસાર ના વિભ્રમ શાંત થાય છે. (૧૧૧) ચિત્ત ને જીતવાનો ઉપાય અને ચૈતન્ય સાથે એકાગ્રતા વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ ચિત્ત-રૂપી મોટા વ્યાધિ (રોગ) ની ચિકિત્સા અને ઔષધ હું તમને કહું છું તે તમે
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy