SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ 230 માર્ગમાં અગ્નિ,પવન અને વાઘ કે નાગ જેવા જનાવરોથી બચીને જાણે હું રૌરવ-નર્ક માંથી બહાર નીકળ્યો હોઉં,તેમ તે દુકાળ-વાળા દેશમાંથી હું બહાર નીકળ્યો અને એક વૃક્ષ નીચે,મેં ભયંકર અનર્થ રૂપ એવાં છોકરાં ને મારી કાંધ પરથી હેઠાં ઉતર્યા ત્યારે મને ઘણો થાક લાગ્યો હતો.અમે ત્યાં વિશ્રામ લીધો. તેવે વખતે ભૂખ થી અતિ વ્યાકુળ થયેલો નાનો પુત્ર આંખમાંથી આંસુ લાવીને રાડો પાડીને કહેવા લાગ્યો કે-મને ખાવા સારું માંસ અને પીવા માટે રુધિર આપો. અને કહ્યું કે પ્રાણ પાચતાર પુત્રના સ્નેહના મૂઢ-પણા ને લીધે અને દુ:ખના અતિભાર થી મેં પુત્રને કહ્યું કે-મારું માંસ પકવીને ખા. તે પુત્રની આપત્તિ જોઈને અને સર્વનું દુ:ખ મટાડવા માટે-સ્નેહ અને કરુણામાં હું મોહ પામ્યો હતો અને તે પુત્ર માટે મેં મરવાનો અંતઃકરણમાં નિશ્ચય કર્યો.તે સમયે વનમાંથી લાકડાં ભેગા કરીને મેં ચિતા રચી, અને તે ચિતામાં હું મારો દેહ નાખે –તેટલામાં તો આ સિંહાસન પર હું ચલાયમાન થયો અને તમારા જયજયકાર થી હું જાગ્રત થયો.આવી રીતે ઇન્દ્રજાળ કરનાર આ મનુષ્યઅજ્ઞાન થી જેવી દશા જીવની થાય છે, તેવી ઘણી દશા-વાળો મને મોહ પમાડ્યો. વશિષ્ઠ કહે છે કે આવી રીતે લવણ રાજા પોતાની સભામાં પોતાની વાત કહે છે-એટલી વારમાં તો, પેલો ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ત્યાંથી અદય થઇ ગયો.ત્યારે સભાસદો એ રાજા ને કહ્યું કે હે, દેવ,આ ઇન્દ્રજાળ કરનાર એ કોઈ મનુષ્ય નહોતો,કારણકે તેને ધન ની ઈચ્છા નહોતી. પણ આ સર્વ એ સંસાર-સ્થિતિ નો બોધ કરનારી કોઈ દૈવી-માયા છે તેમ સમજો. આ માયામાં –સંસાર એ મન ના વિલાસ-રૂપ છે, એમ નિશ્ચય થાય છે. સર્વ-શક્તિમાન વિષ્ણુ નું વિલાસ-રૂપી -જે-મન છે, તે જ જગત છે. તે સર્વ-શક્તિમાન ની હજારો પ્રકાર ની વિચિત્ર શક્તિ છે, તેથી વિવેક-વાળું મન પણ તે માયા વડે મોહ પામે છે. મન ને મોહ પમાડનારી આ સર્વ માયા ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય ની ઈચ્છા થી થયેલી નથી, કારણકે ઇન્દ્રજાળ કરનાર સર્વ મનુષ્યો પોતે ધન મેળવાની ઇચ્છાથી જ ચેષ્ટા કરે છે. પણ આ મનુષ્ય તો અંતર્ધાન થઇ ગયો –માટે તે કોણ હશે ? તેના સંદેહમાં અને સર્વ ડૂબી ગયા છીએ. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ વૃતાંત જયારે લવણ-રાજાની સભામાં બન્યો ત્યારે હું હાજર હતો. તેથી મેં તમને જે આ વાત કરી છે તે મેં મારી નજરે જોયેલી છે. આમ,અનેક પ્રકારની કલ્પના થી જેનું અંગ વૃદ્ધિ પામ્યું છે, એવું મન જ જગતમાં વિસ્તાર પામીને સર્વોત્કર્ષ-પણે રહ્યું છે, માટે એ મન શાંતિ પામીને પરમાત્મા-રૂપ થશે ત્યારે જ તમે પરમ પદવી ને પ્રાપ્ત થશો. (૧૧૦) મન નો વૈભવ અને તેની શાંતિ વશિષ્ઠ કહે છે કે-પરમ કારણરૂપ “સ્વ-સ્વરૂપ” ના અજ્ઞાન ને લીધે,તે "ચૈતન્ય" એ ચિંતવન કરવાને યોગ્ય એવા કોઈ પદાર્થ નું ચિંતન કરે છે.અને એમ કરવાથી તે “કલ્પના”-એવું- નામ ધારણ કરે છે. જેથી તે ચૈતન્ય અનેક પ્રકારના રૂપ ના વિચિત્ર પણા ને પામીને કલુષિત-પણા ને પામે છે. અને તે ચૈતન્ય-એ અજ્ઞાનથી પેદા થયેલ મિથ્યા-રૂપ પદાર્થો અને સંકલ્પ-વિકલ્પ-રૂપી મનને પામી ને મુંઝાય છે કે જે મનોવૃત્તિ એ અસત છે. જે પ્રમાણે બાળક ભૂતનો વિસ્તાર કરે છે તે પ્રમાણે,તે મન હજારો દોષથી દુ:ખ નો વિસ્તાર કરે છે. જો,કલંક-વાળી મનોવૃત્તિ દુઃખ નો વિસ્તાર કરે છે તો-વાસનાનો ક્ષય થયા પછી,નિષ્કલંક થયેલી મનોવૃત્તિ તે મહા-દુઃખોનો નાશ કરે છે, તે દુરના પદાર્થને પાસે લાવે છે ને પાસેના પદાર્થને દૂર લઇ જાય છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy