SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 213 તે શ્રવણ કરી,સ્પર્શ કરી દર્શન કરી,ભોજન નું ગ્રહણ કરી,સુગંધ નું ગ્રહણ કરી અને વિચાર કરી, જીવ ભાવે રહેલ સ્વામી કર્મેન્દ્રિયોને આનંદ પમાડે છે તેને “ઇન્દ્રિય” કહે છે. પરમાત્મા અદૃશ્ય છતાં સર્વ દૃશ્ય સમૂહ (જગત) ના ઉપાદાનકારણ હોવાથી તેને “પ્રકૃતિ" કહે છે. તે સત પદાર્થ માં અસત-પણું અને અસત પદાર્થ માં સંત-પણું કરે છે, એવી રીતે સત્તા અને અસત્તા ના વિકલ્પ ને લીધે –તેને “માયા” કહે છે. દર્શન,શ્રવણ,સ્પર્શ,રસના,તથા ધ્રાણ-વગેરે થી જે કર્મ કરવામાં આવે તેને “ક્રિયા' કહે છે. ઉપર પ્રમાણે ચૈતન્ય ને અનુસરનાર ચૈતન્ય નું કેવું રૂપ ક્રૂરે છે, તેવા તેનાં પર્યાયથી નામ પડે છે. ચિત્ત-પણાને પ્રાપ્ત થઇ,સંસાર (જગત)માં જવાથી–પોતાના જ હજારો સંકલ્પો થી જ તે સંવિત ના મન-બુદ્ધિ-વગેરે નામો રૂઢિમાં (માન્યતામાં) આવેલા છે. તે ચિત્ત વિષય-વાસના કે દ્વત-વાસના ના કલંક થી જાણે પોતાના (વાસનાના) પૂર્ણ-સ્વરૂપ ને પામવા આકુલ હોય –તેમ દેહ-વગેરેની જડતામાં પડે છેમાટે તે એક ચિત્ત ની “મન-બુદ્ધિ” વગેરે વિભાગની કલ્પના પણ કરવામાં આવે છે. એ જ ચિત્ત આ લોકમાં “જીવ” કહેવાય છે.અને “મન-બુદ્ધિ કે ચિત્ત” પણ કહેવાય છે. અને આ રીતે પરમાત્મા ના પદમાંથી ભ્રષ્ટ થયેલા એ અજ્ઞાનરૂપી કલંક વાળા “ચિત્ત” ના જુદા જુદા નામો અનેક સંકલ્પ થી પડ્યાં છે એમ પંડિતો કહે છે. રામ પૂછે છે કે-મન એ જ છે કે ચેતન છે? મારા મનમાં એનો નિશ્ચય થતો નથી. વશિષ્ઠ કહે છે કે-હે, રામ,મન જડ પણ નથી કે ચૈતન્યરૂપ (ચેતન) પણ નથી. પ્રથમ,ચૈતન્ય-રૂપે રહેલી “અજડ-દૃષ્ટિ” (ચૈતન્યતા) સંસાર ની ઉપાધિ ને લીધે,જયારે મલિન(મેલી) થાય છે, ત્યારે તેને “મન” કહે છે. તે “મન” એ સત-અસત થી વિલક્ષણ (જુદું) છે.અને પ્રત્યેક પ્રાણીમાં જુદુજુદું છે. અને તે મન જગતના “કારણ-રૂપ” છે.અને “ચિત્ત” પણ તેને જ કહે છે. નિશ્ચય-પણાથી પરમાત્મામાં નું શાશ્વત-એક-રૂપ છે, પણ તે (પરમાત્મા) ના વિના ચિત્ત ની “સ્થિતિ” નથી. અને તે ચિત્ત થી જ જગત થયેલ છે. જડ અને અજડ દ્રષ્ટિમાં હિંચકા ની પેઠે (હાલકડોલક થતું) સંકલ્પ-વિકલ્પ-વાળું જે “ચૈતન્ય” નું રૂપ છે-તેને “મન” કહે છે. હે.રામ સાક્ષી-પણાને લીધે, અંદરથી કલંક-રહિત અને બહારથી મલિન-એવું “ચૈતન્ય” નું જે ઉપાધિ-વાળું ચલન છે તેં પણ “મન” કહેવામાં આવે છે. તે જડ પણ નથી કે ચેતન પણ નથી, એ જ મનમાં “અહંકાર,મન,બુદ્ધિજીવ” વગેરે નામ “કલ્પલાં” છે. જેવી રીતે નટ (નાટ્ય-કલાકાર) જુદાજુદા વેશ લે છે, તેવી રીતે મન પણ જુદાજુદા કર્મ કરે છે. જેવી રીતે કોઈ મનુષ્ય રસોઈ કરતો હોય તો તે રાંધનાર,પાઠ કરતો હોય તો પાઠ-કરનાર,કથા કહેતો હોય તો વકતા અને કથા સાંભળતો હોય તો શ્રોતા-એમ જુદા જુદા કાર્ય કરે ત્યારે તેના જુદા જુદા નામ પડે છે, તેવી રીતે જ,મન જયારે જુદા જુદા કાર્ય કરે ત્યારે તેનાં જુદાંજુદા નામ (ચિત્ત-વગેરે) પડે છે. હે રામ,મેં તમારી પાસે મન ની જે જે સંજ્ઞા કહી (મન ને જે રીતે ઓળખાવ્યું) તે જ સંજ્ઞા અન્ય મત વાળાઓ પોતાની કપોળકલ્પિત (કલ્પનાઓથી) યુક્તિઓથી જુદી રીતે પણ કહે છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy