SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 171. જેવી રીતે-બ્રહ્મા-વગેરે જીવની સત્તા-એ સત-અસત-રૂપ છે, તે પ્રમાણે પૃથ્વીમાં નાં સઘળાં પ્રાણીની તથા, સ્વર્ગમાં ના દેવતાઓ ની સત્તા પણ સત-અસત-રૂપ છે. બ્રહ્મા થી કીડા સુધીની ઉત્પત્તિ એ "સંવેદન ના ભ્રમ" થી થયેલી છે અને તેથી તે મિથ્યા છે.-કારણકેસારી રીતે જ્ઞાન થવાથી તે (ભ્રમ) નો ક્ષય થાય છે. જે પ્રમાણે બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે જ રીતે કીડો પણ ઉત્પન્ન થાય છે.પણ કીડામાં ભૌતિક મલિન પણું અધિક હોવાથી તે તુચ્છ કર્મો કરે છે પણ બ્રહ્મા માં તેમ ના હોવાથી તે તુચ્છ કર્મો કરતા નથી.એટલો માત્ર ભેદ છે. જીવમાં ઉપાધિ અનુસાર “જીવ-પણું” રહેલું છે.અને તે “જીવ-પણા-અનુસાર” “પૌરુષ” રહેલું છે. આ “પૌરુષ-અનુસાર” કર્મો રહેલાં છે. અત્યંત સારાં (પુ) કર્મો ના પરિણામ-રૂપે “બ્રહ્મા” નું પદ મળે છે.અને નઠારાં (ખરાબ કે પાપ) કર્મો ના પરિણામે કીડા-પણું પ્રાપ્ત થાય છે.પણ પછી, જ્ઞાન નો ઉદય થયા પછી બ્રહ્મા-પદ કે કીડા-પણું (પાપ-પુણ્ય) એ બંને નો ક્ષય થાય છે.(બંને નથી) જેમ આકાશમાં પુષ્પ નથી અને સસલાને શિંગડું નથી હોતું (બંને અસંભવ છે) તેમ “દ્વિત-વાદ” મિથ્યા છે. જે પ્રમાણે કોશેટો બનાવનાર કીડો પોતાના ઘર બનાવવા સમયે પોતે તેમાં જ બંધાઈ (પુરાઈ) રહે છે, તે પ્રમાણે,મન ની ભાવનાથી ઉત્પન્ન થયેલા આ જગતમાં મનુષ્યો મિથ્યા બંધન નો અનુભવ કરે છે. બ્રહ્માએ પોતાના “મન” થી કરીને જેવું જોયું,તેવી ઉત્પત્તિ કરી છે, અને તે બ્રહ્મા એ જેવી ઉત્પત્તિ કરી તેવી મનુષ્યો જુએ છે.એ જ સ્વાભાવિક નિશ્ચય છે. મન થી બનેલું આ જગત મિથ્યા છે, તેની વૃદ્ધિ મિથ્યા છે, તેનો અનુભવ અને લય પણ મિથ્યા છે. “બ્રહ્મ” શુદ્ધ છે અને સર્વ ઠેકાણે રહેનાર છે,અનંત છે અને અદ્વિતીય છે.પણ ભ્રાંતિ (ભ્રમ) થી રહેનાર મનુષ્યો તે (બ્રહ્મ) ને અશુદ્ધ,અસત,અનેક અને અનેક ઠેકાણે રહેનાર-માને છે. અજ્ઞાની મનુષ્યોએ દોરડીમાં થયેલ સર્પ ની ભ્રાંતિથી જ માત્ર ભેદ કલ્પેલો છે. આમ,પ્રથમ આત્મામાં જગતની “સ્ફરણા” થાય છે કે જેનો વિસ્તાર થવાથી “મન” થાય છે, અને તે મન વડે “અહંભાવ” થાય છે. આ રીતે,નિર્વિકલ્પ–પણ-પ્રત્યક્ષ-રૂપે દેખાતું આ જગત,પ્રથમ “મન”-રૂપે થયું કે જેમાં અહંકાર ની ભાવનાથી અહંકાર” ઉત્પન્ન થયો અને ત્યાર પછી મન અને અહંકાર એ બંને થી “સ્મૃતિ” ઉત્પન્ન થઇ. મન-અહંકાર અને સ્મૃતિ” થી અનુભવ પ્રમાણે “તન્માત્રા” ઉત્પન્ન થઇ,કે જેનાથી જીવ” ઉત્પન્ન થયા. આ રીતે “ઉપાદાન-કારણ-બ્રહ્મ” માંથી “જગત નો આ આકાર કલ્પેલો” છે.. આ જગત સાચું હોય કે ખોટું હોય-પણ ચિત્ત-એ જેવી કલ્પના કરે છે તેવું તે જોઈ શકે છે, અને તે જોયેલું બધું સત્ય હોય એમ જાણીને તેમાં વ્યવહાર કરે છે. (કરવા લાગી જાય છે) (૬૮) કર્કટી રાક્ષસીનું આખ્યાન તેણે કરેલું ઉગ્ર તપ) વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ સમયે હું તમને રાક્ષસી ની કહેલો એક પુરાતન ઇતિહાસ કહું છું. તે ઇતિહાસ ઘણા પ્રશ્નો થી યુક્ત છે. હિમાલય પર્વતની ઉત્તર દિશામાં કર્કટી નામની એક મહા ભયંકર રાક્ષસી હતી.તે જાણે શયામ પથ્થરમાંથી બનાવેલ પૂતળી જેવી હતી. "વિશુચિકા" એ તેનું બીજું નામ હતું. તેની કાયા મોટી હતી અને તેને યોગ્ય આહાર તેને મળતો નહોતો. મોટા ઉદર (પેટ) વાળી,તેનો જઠરાગ્નિ અતૃપ્ત હતો.અને તે ક્યારે ય તૃપ્તિ પામતી નહોતી.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy