SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 165 જેવી રીતે અગ્નિ ના "કણ"માં (અણુમાં) લાકડું પડવાથી તેનો પ્રકાશ થાય છે, તેવી રીતે, જીવ-એ- "વાસના ના દઢપણા" થી "અહંકાર-પણા" ને પામે છે. જેમ,આકાશમાં દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી જોવામાં આવે છે, પણ જયારે દૃષ્ટિ ના પહોંચે ત્યારે આકાશમાં તે આકાશ કાળું ના હોવા છતાં આકાશ કાળું લાગે છે, તેમ, જીવને જોકે અહંકાર ઘટતો નથી,તો પણ આત્મા વિષે તેનું અજ્ઞાન હોવાથી "અહંભાવના" થાય છે.અને "સંકલ્પ-કાળ" ની કળાથી,વૃદ્ધિ પામેલી,પોતાની "વાસનાઓને લીધે જીવ "અહંકાર" ને ધારણ કરે છે. વાયુ ના સ્પંદનની જેમ --"સ્કૂરી" ને તે "અહંકાર" -સંકલ્પ વશ થઈને "દિશા અને કાળ "ના પરિચ્છેદવાનો તથા દેહાદિ આકૃતિવાળો થાય છે. સંકલ્પપણા ને પામેલો તે "અહંકાર"-એ-ચિત્ત,જીવ,મન,માયા અને પ્રકૃતિ-એવા નામ થી રહે છે. સંકલ્પ વાળું ચિત્ત -એ-"પંચભૂત-તન્માત્રા" ની "કલ્પના" કરે છે, તેથી તે પંચમહાભૂત-પણા ને પામે છે. પંચ-તન્માત્રા ના આકારવાળું તે ચિત્ત (મન) જગતમાં "તેજ" ના કણ (અણું) રૂપે થાય છે. જેમ, વાવેલું બીજ પોતાના સ્કૂરણથી અંકુર ભાવ ને પામે છેતેમ ચિત્ત તન્માત્રા ની કલ્પના થી"તેજ-કણ" રૂપે થાય છે. જેમ,દ્રવ્ય-રૂપી જળ બરફ-રૂપ થાય છે તેમ,એ તેજ નો કણ -એ બ્રહ્માંડની કલ્પનાથી બ્રહ્માંડ રૂપ થાય છે. તેમાં કોઈ દેહની કલ્પના થી પુણ્ય કરનાર દેવતા નો દેહ પામે છે, કોઈ અહંકાર-રૂપી ભ્રાંતિ-પણા ને પામે છે, કોઈ સ્થાવરપણા ના સંકલ્પને લીધે સ્થાવર થાય છે,કોઈ જંગમ થાય છે, તો પક્ષી વગેરે થાય છે આવી રીતે જગતમાં સંકલ્પ ને લીધે વિચિત્ર સૃષ્ટિ પેદા થાય છે. પ્રલય થયા પછી,સૃષ્ટિના આદિમાં સંકલ્પ થી જે દેહ થાય છે, તેને "બ્રહ્મા" (બ્રહ્મ-દેવ) કહે છે.અને તે બ્રહ્મા પોતાના સંકલ્પ થી જગતને ઉત્પન્ન કરે છે. "ચૈતન્ય" ના સ્વ-ભાવથી બ્રહ્મ એ જ જગતનું મુખ્ય "કારણ" છે.અને ત્યાર પછી, જન્મ-મરણ થવામાં કર્મ જ "કારણ-રૂપે" રહે છે. જેવી રીતે જળમાં સ્વભાવથી જ ફીણ થાય છે, તેવી રીતે ચૈતન્ય ના સ્વ-ભાવથી ચિત્ત ઉત્પન્ન થાય છે. જેમ,દોરીમાં ફીણ બંધાઈ જાય છે અને જળ ચાલ્યું જાય છે-તેમ,દેહ ને "બંધન-રૂપી-કર્મ"થી જ ચિત્ત નું બંધન થાય છે.પણ ચિદાત્મા નું બંધન થતું નથી. સંકલ્પ-રૂપી "જીવ" જે પ્રમાણે કર્મ કરે છે તે તે પ્રમાણે તેને બંધન વગેરે થાય છે. જેવી રીતે બીજ માં અંકુર રહેલો છે, તેથી તેમાંથી અંકુર થયા પછી તે અનેક પ્રકારના પાન, ફળ, ફુલ ને પામે છે, તેવી રીતે જીવન ધારણ કરીને જીવ એ ઉત્પન્ન થયા પછી કર્મ ને લીધે વિચિત્રતા ને પામે છે. આમ,વ્યષ્ટિ જીવો વાસના-રૂપે રહેલી દેહ ની આકૃતિ ને પામે છે. ચિત્ત (મન) ના સ્પંદન ને લીધે, કર્મ થાય છે, તેથી જન્મ થાય છે.અને ત્યાર પછી,તે જીવો ઉંચા-નીચા "લોક" ને પ્રાપ્ત થાય છે.આમ, ચૈતન્ય ની સ્કૂરણા થી જ કરમ થાય છે,કર્મ એ જ "દૈવ" છે.અને દૈવ એ જ ચિત્ત છે.ચિત્ત થી આ સંસારમાં શુભ-અશુભ કર્મ થાય છે, અને જેનાથી અનેક પ્રકારનાં જગત અને અનેક પ્રકારનાં ભુવન ઉત્પન્ન થયા કરે છે. (૬૫) મનથી ઉત્પન્ન થતું દૈત અને બોધ થી મનનો નાશ વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આદિ-કારણ બ્રહ્મા (બ્રહ્મ-દેવ) માંથી પ્રથમ "મન" (મનુ??) ઉત્પન્ન થયું.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy