SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 162 પર-ચિતિ (ઈશ્વર-ચિતિ) તે નામ-રૂપથી રહિત છે અને અપર-ચિતિ (જીવ-ચિતિ) ચરાચર-જગત-રૂપ છે. અને આવું જે મનુષ્ય ગુરૂ, શાસ્ત્ર કે પોતાના અનુભવથી જાણે છે,એ સંસારથી તરીને મોક્ષ પામે છે. "પર-ચિતિ" (બ્રહ્મ) તે સ્વયં પ્રકાશ છે,અને ભેદ (સજાતીય-વિજાતીય-સ્વગત) થી વર્જિત છે. જેમ જળમાં લહરી ભાસે છે તેમ તે "પર-ચિતિ" (બ્રહ્મ) માં જગત ભાસે છે.અને એ જગતને જો તે પર-ચિતિ (બ્રહ્મ) થી ભિન્ન માણીએ તો તે અસત છે અને અભિન્ન માણીએ તો તે સત છે. બ્રહ્મ-દેવ (બ્રહ્મા) ની અસમ-ભાવના એ પોતાના "સંકલ્પ" ના ભેદ થી આ જુદુજુદું જગત ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા (બ્રહ્મ-દેવ) પોતાના અંતર્મુખ-પણા થી- વિષ્ણુ ના નિમેષ (પલકારા) ના એક કરોડમા ભાગમાં, પણ ઘણા યુગો નો અનુભવ કરે છે. (૬૨) નિયતિ (પ્રારબ્ધ) ની શક્તિ નું વર્ણન વશિષ્ઠ કહે છે કે-પરમાણુના લાખમા ભાગમાં પણ હજારો જગત સાચાં હોય તેમ જણાય છે. તથા, એક નિમેષ (પલકારા) ના લાખ માં ભાગમાં -હજારો કલ્પ સત્ય હોય એમ જણાય છે. તે પરમાણમાં ના જગતમાં રહેલા પરમાણુ માં પણ ભ્રાંતિથી હજારો જગત રચાય છે. જેમ જળ ની દ્રવતા પોતાના વિષે ઘૂમરી ધારણ કરે છે તેમ સર્ગ (જગત)ની શોભા પણ મિથ્યા છે. રામ કહે છે કે-હે,ત્રષિ મનુષ્યને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મ-પદ ની પ્રાપ્તિ થાય છે, તે જ્ઞાની નો દેહ રહે છે તેનું કારણ શું? અને કદાપિ પ્રારબ્ધ થી દેહ રહેતો હોય તો જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કેમ રહે છે? તે કહો. વશિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મની "સ્ફરસ-રૂપી જે ચિત્ત-શક્તિ" છે-કે જેને "નિયતિ" કહેવામાં છે, તે સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે, અને તેની સત્તા પ્રત્યેક "કલ્પ"માં છે. તે નિયતિ ને લીધે સૃષ્ટિના આદિ થી "અમુક પદાર્થમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે" વગેરે જે નિર્માણ થયું છે તે તેમને તેમ રહે છે. નિયતિ ને કોઈ મહાસત્તા,મહાચિતિ,મહાશક્તિ,મહાદૃષ્ટિ,મહાક્રિયા,મહોદભવ કે મહાસ્પદ-પણ કહે છે. વાયુમાં જેવી રીતે તૃણ (તરણું) ભમ્યા કરે છે, તેવી રીતે,નિયતિ ને લીધે -કલ્પ-પર્યત - દૈત્ય,દેવતાઓ,મનુષ્યો-પ્રાણીઓ વગેરેની સ્થિતિ રહેલી છે. જેમાં વ્યભિચાર નથી તે-બ્રહ્મમાં-કદાચ વ્યભિચાર નું અનુમાન થાય અને જેમાં ચિત્ર નથી એ આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય પણનિયતિ ની બીજી કોઈ સ્થિતિ નું અનુમાન થઇ શકે નહિ. બ્રહ્મા (બ્રહ્મ-દેવ) વગેરે તત્વજ્ઞાનીઓ અજ્ઞાની મનુષ્ય ને સમજાવવા માટે - "બ્રહ્મ-નિયતિ અને સર્ગ" એ "એક જ" છે એમ કહે છે. આકાશમાં જેવી રીતે ઝાડ ની કલ્પના થાય તેવી રીતે અનાદિ થી મધ્ય-પર્યત-બ્રહ્મ કે જે અચળ હોવા છતાં ચળ જણાય છે, તેનાથી વ્યાપીને "અજ્ઞાન ની દૃષ્ટિ" થી "સૃષ્ટિ" રહેલી છે. જેમ સ્ફટિક માં વન-સમૂહ નું પ્રતિબિંબ પડે છે, અને જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સંકલ્પ ના આશ્રય-રૂપ આકાશને જુએ છે, તેમ "માયા-સબળ બ્રહ્મ" માં રહેનાર "બ્રહ્મા" (બ્રહ્મ-દેવ) એ "નિયતિ-રૂપ સૃષ્ટિ" દીઠી.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy