SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 158 મધુર (ગળ્યા પદાર્થમાં કટુતા (કડવાશ) ની ભાવના કરવા થી તે પદાર્થ કડવો લાગે છે અને કડવા પદાર્થમાં મધુર-પણા ની ભાવના કરવાથી તે કડવો હોવા છતાં મધુર લાગે છે. વશિષ્ઠ કહે છે કે-હે, મહાબાહુ,એવી રીતે,"સંવેદન-રૂપે" જગત થાય (બને) છે. શાસ્ત્ર,પાઠ તથા જપ વગેરે જેનો અભ્યાસ થયો ના હોય, તો તેના સંવેદન અને અભ્યાસ થી - તે શાસ્ત્ર વગેરે સ્વાધીન થઇ જાય છે. વહાણમાં બેસીને જનારને કે ફૂદડી ફરનારને આખી પૃથ્વી ફરતી હોય તેમ જણાય છે, પણ કાંઠે ઉભેલા ને કે જે,કૂદડી ના ફરતા હોય તેને પૃથ્વી ફરતી હોય તેમ જણાતું નથી. સ્વપ્ન ની પેઠે શૂન્ય-સ્થાન (જ્યાં કોઈ પણ ના હોય તેવા સ્થાન) માં ઘણા માણસોનું સંવેદન થવાથી, તેમ જ જણાય છે. પીળા પદાર્થમાં લીલા કે ધોળા નું સંવેદન થવાથી તેવો જ અનુભવ થાય છે. અવિચારી મનુષ્ય ને ભીંતમાં પણ આકાશની ભ્રાંતિ થાય છે, અને સ્વપ્ન ની સ્ત્રી પણ સંવેદન થી જાગ્રત અવસ્થા ની પેઠે પ્રીતિ આપનાર થઇ પડે છે. આવી રીતે જે મનુષ્ય ને મનથી જેવો આભાસ થાય છે તેવો જ તેને અનુભવ થાય છે. પણ વસ્તુતઃ (સત્યમાં) તો બધું ખોટું જ છે-તથા શૂન્ય છે. બાળકને મિથ્યા જ્ઞાનથી કલ્પિત પિશાચ ની આકૃતિ જોવામાં આવે છે, તેવી રીતે મનની સ્કરણા થી જગત દેખાય છે, પણ વસ્તુતઃ તો તે છે જ નહિ.આ જે આકાર જોવામાં આવે છે તે બધું માયા-માત્ર છે. તેનો કોઈ આકાર નથી.તે બીજી વસ્તુ નો રોલ કરી શકે તેમ નથી અને પોતાને રોધ કરનાર બીજી વસ્તુ પણ તેનામાં નથી, જે આ જગત -સ્ફટ જોવામાં આવે છે તે માત્ર સ્વપ્ન-દર્શન ની જેમ રહેલું છે. એક થાંભલામાં પ્રતિમા ની કલ્પના થવાથી,જેમ તે થાંભલો પ્રતિમાનરૂપે જણાય છે, તેમ જાગતા મનુષ્ય ને એ અપૂર્વ સ્વપ્ન થયું હોય તેવું આ જગત છે-તેમ તત્વ-વેતા જાણે છે. જેવી રીતે ચિત્રકાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની કલ્પના કરે છે, તેવા આકાર તેને તેમાં દેખાય છે, તેવી રીતે,"સંવેદન-રૂપી-ચિત્રકાર" "ચિદાકાશ-રૂપી-સ્તંભમાં"જેવી સૃષ્ટિ ની ઈચ્છા કરે છે, તેવી સૃષ્ટિ તેના જોવામાં આવે છે. જેવી રીતે સ્વપ્નમાં કોઈ માણસ ને બીજા માણસ સાથે યુદ્ધ થાય પણ તેની જ પાસે સૂતેલો બીજો માણસ તે યુદ્ધને જોઈ શકતો નથી, તેવી રીતે,અજ્ઞાની મનુષ્યને સ્વપ્ન ના યુદ્ધની પેઠે અનેક પ્રકારના વ્યવહાર-સહિત જગત જણાય છે, પણ જ્ઞાની મનુષ્ય ને તે જોવામાં આવતું નથી. જેવી રીતે,સોનામાં રહેલું દ્રવ્ય-પણું અગ્નિના સંયોગ થી જોવામાં આવે છે, તેવી રીતે પરમાત્મા ની સત્તાથી જગત જણાય છે, પરંતુ ખરી રીતે, જેવી રીતે હાથ-પગ વગેરે અવયવો એ અવયવો થી જુદા નથી, તેમ ઈશ્વરની સત્તા થી જગત જુદું નથી, પણ જીવ-સમૂહ ના "નિમિત્ત" થી તે પરબ્રહ્મ માં જ રહેલું છે. "માયારૂપી-આકાશ" રહેલું આ જગત જો કે માયિક દૃષ્ટિ થી સાચું છે, તો પણ શુદ્ધ દૃષ્ટિ થી ખોટું છે. કારણકે સૃષ્ટિ ની આદિમાં (મહા-પ્રલય થયા પછી તથા સૃષ્ટિ થયા પહેલા) આ જગત એ "ચૈતન્ય-સ્વ-ભાવ" થી જ અવશેષ (બાકી) રહે છે. ત્યાર પછી "કાર્ય-વિભાગ" થવાથી,કારણ-પણુ ઉત્પન્ન થાય છે, પણ તે અસત છે. ખરું જોતાં,મહાપ્રલય થયા પછી-કાર્ય-કારણ ની કલ્પના છે જ નહિ,અને તે સમયે બ્રહ્માની પણ વિદેહ-મુક્તિ થવાથી,તે પણ જગતનું કારણ ઘટી શકે નહિ.કદી કોઈ એમ કહે કે-મુક્તિ થયા પછી,સ્મૃતિ થી બીજા બ્રહ્મા થાય છે, તો તે સ્મૃતિ પણ જ્ઞાન થી જ ઉત્પન્ન થાય છે, માટે આ જગત જ્ઞાન-માત્ર છે.
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy