SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ --કષ્ટ ની વાત એ છે કે આપણે ઝાંઝવાં ના જળ જેવા વિષયોથી ખેચાઈએ છીએ, આપણને કોઈએ વેચ્યા નથી,પણ વેચાયા જેવા થઈને રહ્યા છીએ. અને,આ કંઈ ઇન્દ્રજાળ જેવું છે,-એમ જાણવા છતાં પણ આપણે મૂઢ બની રહ્યા છીએ. --આ પ્રમાણે પ્રપંચોમાં શો સાર છે? આ મોહ થી જ “આપણે બંધાયા છીએ” એમ માની બેઠા છીએ, અને આ ભોગો જ એવા અભાગિયા છે, કે જેમણે આપણ ને “બંધન છે” એવું મનાવી પણ દીધું છે. --ઘણા સમય પછી,જાણવામાં આવ્યું કે આપણે નિરર્થક જ મોહ-રૂપી ખાડામાં પડ્યા છીએ. --“હું કોણ છું?’-- ‘આ દૃશ્ય પદાર્થો શી વસ્તુ છે?’–‘મારે રાજ્ય અને ભોગો સાથે શો સંબંધ છે? – આ બધું જે ખોટું છે તે ખોટું જ છે,અને ખોટાની સાથે કોઈને કંઈ લાગતું-વળગતું છે જ નહિ. હે ભગવન,આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મને સઘળાં પદાર્થોમાં અરુચિ થઇ છે,એટલે, હવે મને આપ કહેશો કે,ઇન્દ્રજાળ જેવું આ જગત શા કારણથી ઉત્પન્ન થાય છે? શા કારણથી તે વધે છે? અને શા કારણથી તે નાશ પામે છે? સંસારનાં આ દુઃખો શી રીતે ટળે?’ એ ચિંતા થી હું તપી રહ્યો છું, ને મારું હૃદય સંસારના દુઃખો-રૂપી પથ્થરોથી પુરાઈ ગયું છે. સ્વજનોને ખેદ ના થાય એટલે હું આંસુ પાડીને રોતો નથી,પણ હું અંદર ને અંદર રોયા કરું છું, તેમને સારું લાગે તે માટે કોઈ કોઈ વાર મુખ મલકાવું છું,બોલું-ચાલુ છું, પણ તે વૃત્તિઓ રસ-રહિત છે, એ વાત મારા હૃદયમાં રહેલો વિવેક જ જાણે છે. જેમ,ધનવાન માણસનું ધન જતું રહે અને દરિદ્રતા આવે ત્યારે તે આગલી દશા સંભાળીને બહુ મુંઝાયા કરે છે,તેમ,હું પણ પરમાનંદમાંથી ખસીને, જયારે, આ સંસારની ખટપટ માં આવી પડ્યો છું, ત્યારે, આગલી (પરમાનંદની) દશા સંભાળીને બહુજ મુંઝાયા કરું છું. આ રાજ્ય-સંપત્તિ-કેવળ ઠગારી જ છે,વળી તે, મન ની વૃત્તિ ને મૂંઝાવી દેનારી, ગુણો ના સમૂહ ને તોડનારી,અને દુઃખ ના સમૂહ ને આપનારી છે, જેથી અનેક ચિંતાઓ-રૂપી ચકરીઓ ઉત્પન્ન કરનાર આ ધન-સંપત્તિ (અને ભોગો) મને આનંદ આપતાં નથી. “ક્ષણભંગુર એવા દેહાદિક (શરીર-વગેરે) માં પડવાને લીધે અનેક પ્રકારનાં દુઃખ અને દુર્દશાઓ વેઠવાં પડે છે” તેનો વિચાર કરતાં મને મનમાં સુખ વળતું નથી. હે ભગવન, જયારે, આ -અજ્ઞાન-રૂપ- રાત્રિમાં,-મોહ-રૂપ- ઝાકળ થી, લોકો ની -વિચાર-રૂપ- આંખની શક્તિ બંધ પડી ગઈ છે,ને, વળી,સેંકડો -વિષય-રૂપ- ચોરો, વિવેક-રૂપી- મુખ્ય રત્ન ને ચોરી કરવામાં લાગી રહ્યા છે, ત્યારે “તત્વ-વેતાઓ” સિવાય બીજા કોણ તેમને મારી હટાવવા સમર્થ છે? (૧૩) લક્ષ્મી ના દોષો નું વર્ણન રામ બોલ્યા-હે મુનિ,આ સંસારમાં લક્ષ્મીને (ધન ને) બધાથી ઉત્કૃષ્ઠ (ઉંચી) “કલ્પવામાં” આવી છે, પરંતુ,વાસ્તવિક રીતે તો તે “મોહ” પેદા કરનારી છે, અને તે લક્ષ્મીથી અનેક અનર્થો પણ પેદા થાય છે. જેમ વર્ષાઋતુમાં નદીમાં-ઉછળતા,મલિન (ગુંદા) અને જડ કરી નાખે તેવા મોટા તરંગો પેદા થાય છે, તેમ,લક્ષ્મીથી પણ ઉછળતા (ઉછાંછળા-પણું),મલિન (ગંદુ) અને જડ કરી નાખે તેવા –
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy