SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 147 (૧) સામાન્ય પાપી (૨) મધ્યમ પાપી (૩) ઉત્તમ (મહા) પાપી (૪) સામાન્ય ધર્મ કરનાર (૫) મધ્યમ ધર્મ કરનાર (૬) ઉત્તમ ધર્મ કરનાર આ છ-માંથી કોઈ ના એક-કોઈના બે- તો કોઈના ત્રણ-એવા ભેદ છે.આ છ ની ગતિ નીચે પ્રમાણે છે. ઉત્તમ (મહા) પાપી ની ગતિ-ઉપરના છ માંથી,ત્રીજો મહાપાપી એક વર્ષ સુધી મૂછ મરણ) નો અનુભવ કરે છે, અને તેનું હૃદય પથ્થર જેવું જડ થઇ જાય છે. ત્યાર પછી કાળે કરીને તે પાપી જાગ્રત થાય છે.અને ઘણા દિવસ સુધી "વાસના" ના "જઠર"માં ઉઠેલા "નરકના અક્ષય દુ:ખ" નો અનુભવ કરે છે. હજારો યોનિ માં જન્મ લઈને એક દુ:ખ ભોગવ્યા પછી બીજું દુ:ખ ભોગવે છે, અને ત્યાર પછી,કોઈ સમયે"સંસાર-રૂપી સ્વપ્ન-સંભ્રમ" માં શાંતિ પામે છે. અથવા તે મહા-પાપી ને મરણ ની વિસ્મૃતિ થાય છે, અને પછી "જડતા નાં હજારો દુ:ખોથી " તે વ્યાકુળ થાય છે.અને હૃદયમાં "વૃક્ષ-પણા ના જન્મ" નો અનુભવ કરે છે. આમ વાસના-અનુસાર નરકમાં, હજારો દુ:ખનો અનુભવ કર્યા પછી તે પાછો પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. મધ્યમ પાપી ની ગતિ-બીજો મધ્યમ પાપી પોતાના મરણનો મોહ વીસરી ગયા પછી કેટલાક કાળ સુધી, પથ્થરની જડતા નો અનુભવ કરે છે, પછી કાળે કરીને જાગ્રત થયા પછી તે -પશુ-પક્ષી ની યોનિમાંઅવતાર ધારણ કરીને સંસારમાં આવે છે. સામાન્ય-પાપી ની ગતિ-પહેલો સામાન્ય પાપી મરી ગયા પછી જ પોતાની વાસના અનુસાર પ્રાપ્ત થયેલા, અક્ષત-દેહ નો અનુભવ કરે છે.તે સ્વપ્ન ની પેઠે-જેવો સંકલ્પ હોય તેવો અનુભવ કરે છે.અને તે જ ક્ષણે પ્રથમ ની પેઠે તેને "સ્મૃતિ" ઉત્પન્ન થાય છે. ઉત્તમ ધર્મ કરનાર ની ગતિ-જે મહાપુણ્ય કરનાર છે, તે મરણ નો મોહ મટ્યા પછી "પુણ્ય-રૂપી વાસના"ની જાગૃતિ થી સ્વર્ગમાં" વિદ્યાધર-ગ્નગર" નો અનુભવ કરે છે. આમ પુણ્ય ભોગવ્યા પછી તે "ઈલાવૃત્ત-કે કિં.રુષ " ખંડમાં કર્મ નું ફળ ભોગવે છે, અને પછી, મનુષ્ય-લોકમાં લક્ષ્મીવાન એવા સજ્જન મનુષ્ય ના ઘેર જન્મ ધારણ કરે છે. સામાન્ય તથા મધ્યમ ધર્મકર્તા ની ગતિ-સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનાર મનુષ્ય મરણ વીસરી જાયએટલે ઔષધિઓ તથા પલ્લવો થી ભરેલા વનમાં કિન્નર તથા કિંપુરુષ ના શરીર થી જાય છે. ત્યાં પોતાના કર્મનું ફળ ભોગવ્યા પછી,તે વાયુ તથા વરસાદ દ્વારા પૃથ્વીમાં અન્ન-ઔષધિઓ માં પ્રવેશ કરે છે, અને અન્ન દ્વારા તે પુરુષમાં અને પુરુષના વીર્યને માર્ગે તે સ્ત્રીના ગર્ભ માં પ્રવેશ કરે છે. આ પ્રમાણે છ પ્રેતોની મરણ પછી-ક્રમે કરીને ઉપર પ્રમાણેની ગતિ થાય છે. મરણ પછીની સામાન્ય સ્થિતિ- મરણ પામનાર મનુષ્ય ને પ્રથમ "મારું રક્ષણ થયું " એવું જ્ઞાન થાય છે. પછી તેને આપેલા પિંડદાન થી "અમારું શરીર ઉત્પન્ન થયું" એવું તેમને જ્ઞાન થાય છે. ત્યાર પછી ક્રમે કરીને "કાળજાશ ને ધારણ કરનારા યમના અનુચરો આવીને મને લઇ જાય છે અને તેમની સાથે હું યમ-પુરીમાં જાઉં છું" એવું જ્ઞાન થાય છે. ઉત્તમ પુણ્યવાન મનુષ્ય મરણ પામ્યા પછી પોતાના પુણ્ય-કર્મ થી પ્રાપ્ત થયેલ દિવ્ય ઉદ્યાનથી શોભતા "વિમાન" ને પોતાની પાસે જુએ છે. પાપી મનુષ્ય પોતાના પાપ-કર્મ થી પ્રાપ્ત થયેલ હિમ,કાંટા વગેરેથી ભરેલા માર્ગને પોતાની પાસ જુએ છે. મધ્યમ પુણ્ય કરનાર મનુષ્ય એવું અનુભવે છે કે "આ મારી પાસે સુખે થી જવાય તેવી પગદંડી છે, કે જેના
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy