SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 134 એ બ્રહ્મ-તત્વ "માયા" ને લીધે સર્વ-વ્યાપક, સર્વ રૂપ અને સર્વ "શક્તિઓ" વાળું થાય છે. તથા જે જે સ્થળમાં જે જે રીતે આવિર્ભાવ પામે છે તે તે સ્થળ માં તે તેવીતેવી રીતે જ રહે છે. એમ હોવાથી,"સ્વપ્નના નગર" નો "દ્રષ્ટા" જેમને,"નગરના રહેવાસીઓ" તરીકે જાણે છેતેઓ ક્ષણમાત્રમાં જ તે નગરના માણસો થઇ જાય છે. ઉપરના "દ્રષ્ટા" નું જે "ચૈતન્ય-સ્વરૂપ" કે જે અતિ-સૂક્ષ્મ છે, તે વાસના અનુસાર "વિવર્ત" પામીને "નગર ના માણસો" ની જેમ જણાય છે. સ્વપ્ન માં તથા જાગ્રતમાં પણ,આત્મામાં મનુષ્ય-વગેરે નો અધ્યાસ (આભાસ) થતાં - તે મનુષ્યમાં આત્મા ને સત્યતાનો અધ્યાસ (આભાસ) થાય છે. રામ પૂછે છે કે-હે મુનિ, સ્વપ્ન નું શરીર એ માયા-માત્ર છે, તેમાં દેખાતા પુરુષોને અધિષ્ઠાન ની સત્તાથી સાચા નહિ, પણ તમામ ખોટા જ માનીએ તો શો દોષ આવે ? તે મને કહો. વશિષ્ઠ કહે છે કે સ્વપ્ન માં પ્રતીત થયેલા (ઉપર પ્રમાણેના) પુરુષો, વાસ્તવિક રીતે સત્ય નથી,પણ, અધિષ્ઠાન ની સત્તાથી સત્ય છે.કારણકે તેઓ "પ્રત્યક્ષ" જોવામાં આવે છે. એટલે આ વિષયમાં "પ્રત્યક્ષ" એ જ મોટું "પ્રમાણ" છે.બીજું પ્રમાણ શોધવાની જરૂર નથી. સૃષ્ટિ ના આરંભમાં સ્વપ્ન-સરખા-અનુભવ-રૂપ જે "હિરણ્યગર્ભ" છે તેના સંકલ્પથી જ આ "જાગ્રત-જગત"નો પ્રપંચ ઉત્પન્ન થયો છે.માટે "જાગ્રત-જગત-નો પ્રપંચ"પણ "સ્વપ્ન ની પેઠે "અધિષ્ઠાન ની સત્તા થી જ સત્તાવાળો છે.એટલે આ "જાગ્રત નો પ્રપંચ" પણ એક જાતનું "સ્વપ્ન" જ છે. માટે આ "જાગ્રતના પ્રપંચ" ની રીતે જોઈએ તો- જેમ મારી દ્રષ્ટિએ તમે અને બીજા બધા સાચા છો, (એમ માનીએ) તો તે,સ્વપ્નમાં સ્વપ્ન ના દ્રષ્ટા ની દ્રષ્ટિએ સ્વપ્ન નાં માણસો પણ સાચા છે. પણ,જો સ્વપ્નમાં દેખાતા માણસો સાચા નથી તો-મારા જોવામાં આવતા માણસો પણ સાચા નથી. "જાગૃત" તથા "સ્વપ્ન" બંને પરસ્પર થી તુલ્ય (તુલના કરી શકાય તેવા) છે -માટેઆ બંને અવસ્થામાં પ્રતીત થતાં માણસોની સત્યતા એકબીજાની દૃષ્ટિ થી જ છે. પણ બંને વાસ્તવિક રીતે તો સત્ય નથી જ. રામ કહે છે કે-હે,ભગવન,આ તમારા કહેવા પરથી મને લાગે છે કે સ્વપ્ન નો દ્રષ્ટા,નિંદ્રા થી રહિત થઇ જાય,તો પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાન ની સત્તાથી સત્તાવાળું રહે છે, આમ મારું ધારવું યથાર્થ છે કે કેમ? વશિષ્ઠ કહે છે કે-હા, તમે જેમ કહો છો તેમ જ છે.સ્વપ્ન નું દેખાયેલ નગર અધિષ્ઠાન ની સત્તાથી સત્ય અને આકાશ ની પેઠે સ્વચ્છ આકારવાળું જ રહે છે. આ વાત હમણાં એક બાજુ રહેવા દો અને હવે હું બીજું કહું છું તે તરફ તમે લક્ષ આપો. "સ્વપ્ન ના પ્રપંચ" માં "જાગ્રત-અવસ્થા" ના બાહ્ય "દેશ-કાળ" ના જેવો સંબંધ નહિ હોવાથી,તે મિથ્યા છે, એમ તમે જો માનતા હો તોતમે જેને "જાગ્રત-અવસ્થા નો પ્રપંચ" માનો છો, તેમાં પણ બાહ્ય "દેશ-કાળ" નો સંબંધ નથી. આથી જાગૃત નો પ્રપંચ પણ મિથ્યા જ છે. આ પ્રમાણે જ છે, એટલા માટે આ સઘળો (સ્વપ્ન કે જાગ્રતનો પ્રપંચ જે જોવામાં આવે છે, તે સાચો નથી, પણ સાચાં જેવો "પ્રતીત" થઇ રહ્યો છે. જેમ,સ્વપ્ન ની સ્ત્રી સાથેનું સંગ-સુખ મિથ્યા છતાં આસક્તિથી મોહિત કરે છે,
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy