SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 120 જો આ બંને-ઉદાહરણ ને સમજાવવા ત્રીજું ઉદાહરણ લઈએ. એક ટેબલ પર કાચ ની એક મોટી શીશી મુકીએ.અને તે બંને માં નાની નાની -બે શીશીઓ મુકીએ. (૧) હવે ચિત્તાકાશ ને સમજીએ- એટલે તે એક મોટી શીશીમાં જે બે નાની શીશીઓ છે - તે લીલા-અને-પદ્મરાજા છે) તે નાની શીશીઓ ની અંદર નું જે આકાશ છે -છે તે ચિત્તાકાશ (મન-રૂપી આકાશ) છે. (ર) મોટી શીશીની આસપાસ જે આકાશ છે-તે ઉપર મુજબ નું "ચિદાકાશ" છે, કે જેની કોઈ હદ કે સીમા નથી. ૩) અને મોટી શીશી ઓ ની અંદર નું જે આકાશ છે-તે "વ્યવહારિક-આકાશ" કે જે- તે ગામ કે શહેર માં રહેલા ઘર નું આકાશ છે. લીલા અને પદ્મરાજા (બે નાની શીશીઓ) જે શહેરમાં જે ઘર (મંડપ) માં રહેતા હતા તે મોટી બાટલી.ના અંદર ના આકાશ માં - હવે જો પરાજા મરી ગયા તો તેમની શીશી ફટી ગઈ અને શીશી માં નું આકાશ (ચિત્તા કાશ) તે મોટી શીશી ના આકાશ (વ્યવહારિક આકાશ કે ઘરના આકાશ) માં મળી ગયું. હજુ જે બીજી શીશી છે તે લીલા ની છે. અને તે શીશી ના કાચ (ઉપાધિ-માયા) ને લીધે તેનો દેહ છે. જો -નિર્વિકલ્પ સમાધિ દ્વારા તે-લીલા-તે કાચને (માયા-કે ઉપાધિ) ને તોડી શકેતો તેની અંદર રહેલું આકાશ (ચિત્તાકાશ) -મોટી બાટલી ના આકાશ (વ્યવહારિક આકાશ) માંકે જેમાં પદ્યરાજા નું આકાશ (ચિત્તાકાશ મળી ગયું છે) છે.તેની સાથે એક થઇ શકે!!!!! કે ચિદાકાશ (અનંત આકાશ) માં ભ્રમણ કરી શકે. જો આટલું સમજ માં આવે તો જ પહેલાં નું,આ અને આગળનું સહેલાઈ થી સમજી શકાય ??!! (૨૫) સમદ્રો.દ્વીપો અને બ્રહ્માંડના આવરણ-રૂપ ભૂમંડળનું વર્ણન વશિષ્ઠ કહે છે કે-હે,રામ, આકાશમાંથી ઉતરીને, પૃથ્વી ના પહાડી ગામમાં જતી,એ બે સ્ત્રીઓએ કોઈ એક ભૂતળ જોયું કે જે ભૂતળ સરસ્વતીએ લીલાને દેખાડવા ધાર્યું હતું. એ મોટું ભૂતળ બ્રહ્માંડ-રૂપી પુરુષના હૃદય-કમળ-રૂપ હતું, તેમાં દિશાઓ-રૂપી આઠ પાંખડીઓ હતી. તેમાં પર્વતો,નદીઓ,સાત સમુદ્રો,સાત દ્વીપો અને પાતાળોરૂપી છિદ્રો હતા. (ખૂબ અલંકારિક ભાષામાં તેનું વિસ્તૃત વર્ણન કરેલું છે) લોકપાલો,દેવતાઓ,નગરો અને ભૂતળ થી વ્યાપ્ત થયેલું બ્રહમાંડ નું એ ઉદર જોઈને ,પછી, લીલાએ તુરત પૃથ્વીમાં પોતાના પ્રથમ ઘરના આધાર-રૂપ એવું તે ઊંડું પહાડી ગામ દીઠું. (૨૬) લીલા ને પોતાના ઘરમાં સ્વજનો નું દર્શન થયું. વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે એ સ્ત્રીઓ "પદ્મરાજા ના વાસ-રૂપ (નિવાસ-રૂપ) બ્રહ્માંડ ના મંડળ" માંથી નીકળીને "વશિષ્ઠ બ્રાહ્મણ ના વાસ-રૂપ (નિવાસ-રૂપ) બ્રહ્માંડ" માં આવી. "બ્રહ્મ-વિદ્યા થી સિદ્ધ થયેલી" અને "લોકો માટે અદશ્ય" (લોકો ને ના દેખી શકાય તેવી) એ લીલાએપોતાનું જ ઘર દીઠું અને તેમાં બ્રાહ્મણ ને રહેવાનો "મંડપ" દીઠો. તેમાં સર્વ સ્ત્રી-પુરુષો ના મુખો આંસુ ના પ્રવાહ થી ભીંજાઈ ગયા હતા. નિર્મળ જ્ઞાન નો લાંબો અભ્યાસ કરવાથી,તે સુંદરી લીલાએ, દેવ ની પેઠે સત્ય સંકલ્પ અને કામના-વાળી થઈને "સંકલ્પ" કર્યો કે "આ મારા બંધુઓ મને અને સરસ્વતી ને સાધારણ સ્ત્રી-રૂપે દેખજો." ત્યાં તો ઘરનાં સર્વ માણસોએ ઘણે ઝગમગ કરી મુક્તી અને જાણે લક્ષ્મી અને ગૌરી હોય તેવી બે સ્ત્રીઓને દીઠી.જેમણે જોઈને લીલા ના પૂર્વ-જન્મ ના મોટા પુત્ર જયેષ્ઠ શર્મા એ તથા ઘરનાં બીજાંઓએ"વન ની દેવીઓ ને પ્રણામ" બોલીને તેમના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. દેવીઓએ પ્રેમથી તેમને કહ્યું કે-જે દુઃખથી તમે સહ પીડિત છો,તે દુઃખ વિષે અમને વાત કરો. ત્યારે જયેષ્ઠ શર્મા કહે છે કે-હે દેવી,અહીં, પરસ્પર સ્નેહવાળાં,બ્રાહ્મણ જાતિનાં સ્ત્રી-પુરુષ કે-જેઅમારાં મત-પિતા હતાં, તે અમને સર્વ ને છોડીને સ્વર્ગવાસી થયા છે.જેથી અમને આ ત્રૈલોક્ય
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy