SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 103 એ ચૈતન્ય પોતે છિદ્ર વગરનું છે છતાં,છિદ્ર-વાળા આકાશમાં છૂરે છે, ચલન વગરનું છે છતાં, ચલન-વાળા વાયુ-રૂપે ફૂરે છે, આકાર વગરનું છે,છતાં પૃથ્વી ના વિચિત્ર રસો ને ઉલ્લાસ આપનાર સૂર્ય (અનિ-વગેરે રૂપે સ્કૂરે છે, દ્રવ્યતા વગરનું છે,છતાં,પૃથ્વી ની સૃષ્ટિ નહિ બની હોવાથી જળ રૂપે ઝૂરે છે. કઠિન-પણા વગરનું છે, છતાં ધાતુઓ-શરીરો વગેરે ના ઉપાદાન-રૂપ પૃથ્વી-રૂપે ઝૂરે છે. પોતાના જ્ઞાનથી "દુશ્ય-પદાર્થો" નો અસ્ત થતાં પણ એ ચૈતન્ય "પ્રકાશિત-રૂપે" રહે છે, અને અજ્ઞાન-કાળમાં સ્થાવર-વગેરે જડ-પદાર્થો માં જડતા ને લીધે એ "અપ્રકાશિત-રૂપે" રહે છે. અવિચાર-કાળ માં (અજ્ઞાનથી) "પ્રાણ-વગેરે" ની "કલ્પના" ને લીધે-એ ચૈતન્ય "સંસારી" થાય છે.અને વિચાર-કાળમાં (જ્ઞાનથી) એ પોતાના "સ્વ-ભાવ" માં જ રહે છે. જે ચૈતન્ય ની સત્તા છે તે જ જગતની સત્તા છે, અને જે જગતની સત્તા છે તે જ ચૈતન્ય નું શરીર છે, જેમ આકાશમાં નીલતા પ્રતીત થવા છતાં પણ વાસ્તવિક રીતે તે હોતી નથી, તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ પ્રતીત થતું હોવાં છતાં પણ તે વાસ્તવિક રીતે નથી. આ પ્રમાણે જગત એ પોતાની સત્તાથી અસત છે, પણ અધિષ્ઠાન ની સત્તા થી સત છે. કલ્પિત પદાર્થ ની સત્તા અને અસત્તા -એ અધિષ્ઠાન થી જુદી હોય જ નહિ, માટે જગત ની સત્તા અને અસત્તા એ બ્રહ્મ થી જુદી નથી. વિદ્વાનો ના અનુભવ નું ખંડન કરવા માટે-જે લોકો "અવયવ-વાળા જગત ની અને અવયવ વગરના પરમાત્મા ની એકતા કેવી રીતે હોઈ શકે?" એવી કલ્પનાઓ કરે છે.તેમણે ધિક્કાર છે. જે ચૈતન્યમાં અખંડિતતા પણા ને લીધે પર્વતો,સમુદ્રો,પૃથ્વી,નદીઓ,અને દેવતાઓ સહિતઆ સઘળું જગત જ નથી, તો તેમાં સસલા ના શિંગડા જેવા (જગત માટે) અવયવ અને અવયવની કલ્પનાઓ-ને અવકાશ જ ક્યાંથી મળી શકે? જેમ સ્ફટિક-મણિ-એ પોતાની અંદર બીજા કોઈનો સમાવેશ ન થાય એવો ઘાટો હોવા છતાં, પોતાનામાં આખા નગરના પ્રતિબિંબ ને ધારણ કરે છે, તેમ,નિર્મળ બ્રહ્મ અત્યંત અખંડ હોવાં છતાં પણ પોતામાં સઘળા અસત્ બ્રહ્માંડને ધરે છે. જયારે કાર્ય-રૂપે ઉત્પન્ન થયેલા આ પ્રત્યક્ષ આકાશને પણ વાયુ-વગેરેનો સંગ નથી, ત્યારે,સર્વ પદાર્થો ના અધિષ્ઠાન-રૂપ, ચિદાકાશનેજગતની સત્તા-અસત્તા-તુંપણું-હુંપણું વગેરે સાથે સંબંધ કેમ જ હોઈ શકે? જેમ,પાંદડા ની પોતાની અંદરની નસોનો સમૂહ પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે, તેમ છતાં તે પાંદડું તેને પોતાની અંદર ધારણ કરી રહે છે, તેમ,જગત પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે, છતાં બ્રહ્મ તેને પોતાની અંદર સ્વાભાવિક જ ધારણ કરીને રહેલ છે. જેમ,જગતનું ઉપાદાન-કારણ (બ્રહ્મ) નિર્વિકાર હોવાથી,જગત-રૂપ વિકાર મિથ્યા છે, તેમચિત્તો ની સમષ્ટિ-રૂપ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જગત-રૂપ વિકાર મિથ્યા છે. જો કોઈ એમ કહે કે "જગત મિથ્યા હોય તો-ચૈતન્ય પણ મિથ્યા હોવું જોઈએ." તો આવી વાત કરવાથી ચૈતન્ય નું મિથ્યા-પણું સિદ્ધ થઇ શકે નહિ. કારણ કે ચૈતન્ય-એ અનુભવ થી સિદ્ધ થઇ શકે છે. અને જે વિષય-અનુભવ થી વિરુદ્ધ હોય -
SR No.008125
Book TitleYog Vaasishtha Part 01
Original Sutra AuthorN/A
AuthorAnil Pravinbhai Shukla
PublisherAnil Pravinbhai Shukla
Publication Year2014
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Other
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy