SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૧ મા. ૧ અર્થ. કર્મજન્ય દુઃખરૂપી સૂર્યની જ્વાળાથી જેન અંતરાત્મા દુગ્ધ થયેલા છે એવા પુરુષને, શાંતિપી અમૃતની ધારાઓવાળી વૃષ્ટિ વગર સુખ ક્યાં છે ? અર્થાત્ કર્તવ્ય કરવાના દુ:ખમાં ખળી રહેલા માણસને માટે પ્રશમરૂપી અમૃતની વૃષ્ટિ સિવાય બીજે કહિં સુખ નથી. भवायं भावनामात्रो न किंचित्परमार्थतः । नास्त्यभावः स्वभावानां भावाभावविभाविनाम् ||३|| અર્થ. આ ભવ-સંસારભાવના—સંકલ્પ માત્ર છે, પરમાર્થ દૃષ્ટિએ જોતાં કંઈ નથી; કેમકે, ભાવ ને અભાવરૂપ પદાર્થાંમાં રહેલા સ્વભાવના કદી પણ અભાવ થતા નથી. ટીકા. આ જગત સંકલ્પજન્ય છે. પરમાર્થ દૃષ્ટિએ એમાંનું કંઈ સત્ય નથી. સત્ય તે એક પરમાત્માજ છે. ભાવ અને અભાવમાં રહેલા સ્વભાવને અભાવ છે નહિ. અનેારથ અને સ્વમના ભાવ કે અભાવ નહિ હોવા છતાં પણ તે ભાવ થાય છે. અર્થાત્ ભાવ અને અભાવ એઉ સ્વભાવમાં રહેલા છે, પરંતુ તે સંકલ્પજન્ય અને મિથ્યા છૅ. જગત પણુ એવુંજ અસત્ય છે, એટલે તેના જ્ઞાનથી અભાવ ઉત્પન્ન કરવા જોઈએ. જ્યાં સુધી જગતના પ્રપંચમાં ભાવ છે ત્યાં સુધી મુક્તિ બંગળીજ છે, માટે પ્રચના ત્યાગ કરવા જોઇએ. न दूरं न च संकोचाल्लब्धमेवात्मनः पदम् । निर्विकल्पं निरायासं निर्विकारं निरंजनम् ॥ ४ ॥ અર્થ. નિરજન, નિર્વિકાર, નિરાયાસ અને નિર્વિકલ્પ એવું આત્માનું પદ-સ્વરૂપ સંકેાચલબ્ધ કે દૂર નથી, પરંતુ અજ્ઞાનથી તે પ્રાપ્ત થતું નથી માટે જ્ઞાનથી તેની પ્રાપ્તિ કરવી સઇએ.
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy