SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૮ સાધક સહચરી જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવો હણાઈ જતા હોય તો તે વસ્તુ મારે માટે કે પરને માટે, આ લોક કે પરલોકમાં લેશમાત્ર કલ્યાણકારી નથી એમ સાધક ચિંતવે. ઉ. ૨૨ : ૧૯ तथिमं पढमं ठाणं, महावीरेण देसि । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥४॥ વ્રતોમાં સર્વથી શ્રેષ્ઠ અહિંસા વીર વર્ણવે; સર્વ જીવ દયા પાળો દયાનું મૂળ સંયમ. ૪ સંયમપૂર્વક વર્તવું તે જ ઉત્તમ પ્રકારની અહિંસા છે અને ભગવાન મહાવીરે તેને જ મહાવ્રતોમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. તેવી શુદ્ધ અને વાસ્તવિક અહિંસાનું મૂળ સંયમ છે. દશ. ૬ : ૯ सव्वे जीवा वि इच्छंति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥५॥ જીવવા ઇચ્છતાં પ્રાણી ન ઇચ્છે કોઈ મૃત્યુને; તેથી પ્રાણી તણી હિંસા ત્યજે નિગ્રંથ સાધકો. ૫ જગતના નાના કે મોટા સર્વ જીવો જીવનને ઇચ્છે છે. કોઈ પણ પ્રાણી મૃત્યુને ઇચ્છતું નથી. માટે જ એ ભયંકર પાપરૂપ) હિંસાને નિગ્રંથ સાધકો સર્વથા ત્યાગી દે. દશ. ૬ : ૨૧ जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णो विधायए ॥६॥ લોકમાં જેટલાં પ્રાણી સ્થાવર અથવા ત્રસ; જાણીને કે ન જાણીને હણાવે કે હણે નહિ. ૬
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy