SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઘર્મ માર્ગ છે અને દુ:ખી થાય છે. તે જ પ્રમાણે જે ધર્મને આદર્યા વિના પરલોકમાં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે. ૩. ૧૯ : ૧૮, ૧૯ विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओववन्नो, हणाइ वेयाल इवाविवन्नो ॥ ९ ॥ પીધેલું ઝેર ને શસ્ત્ર પકડેલું કૂરીતિથી; હણે માલિકને તેમ વિષયાપન્ન ધર્મ તે. ૯ હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું-તાળપુટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર પકડવાથી અને અવિધિથી મંત્રજાપ કરવાથી જે તે માલિકને મારી નાખે છે; તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તો તે ધર્મ પણ તેવા (અધર્મી)ને મારી નાખે છે (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુતઃ ધર્મમાં કદી અધર્મ ન હોય અને હોય તો તે ધર્મ ન ગણાય. ૩. ૨૯ : ૪૪ पडन्ति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्वं च गईं गच्छन्ति, चरित्ता धम्ममारियं ॥ १० ॥ ૨૩ સડે છે ઘોર દુ:ખોમાં જે નરો પાપ આચરે; સંપત્તિ સ્વર્ગની પામે જે નરો ધર્મ આચરે. ૧૦ જેઓ પાપ કરનારા હોય છે તે ઘોર નરકમાં પડે છે અને જે સત્ય ધર્મને આચરે છે તે મનુષ્ય સ્વર્ગીય સંપત્તિને પામે છે. ૩. ૧૮ : ૨૫ सव्वभूयप्पभूयस्स, सम्मं भूयाइं पस्सओ । पिहिआसवस्स दंतस्स, पावकम्मं न बंधइ ॥ ११ ॥
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy