SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ તે આ શ્લોકમાં સમજાવ્યું છે. आत्म नदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र ! ___ न वारिणा शुध्यति चान्तरात्मा ॥ महाभारत. “આત્મા એ નદી છે. ત્યાં સંયમરૂપી જળ છે, સત્યરૂપી જળ આવવાનો માર્ગ છે, શીલરૂપી કાંઠાઓ છે, દયારૂપી ઊર્મિઓ છે. હે પાંડુપુત્ર ! ત્યાં સ્નાન કરો. જળથી કંઈ અંતરાત્માની શુદ્ધિ થઈ શકે નહિ.” આ પરથી જૈનદર્શનમાં જડક્રિયા અને રૂઢિઓનો કેટલો વિરોધ છે, અને તે ધર્મ તત્ત્વ કેવા સ્વરૂપમાં વિચારાયું છે તે સમજાશે. આ રીતે જૈનદર્શનનો આત્મા ઓળખવાની આ ક્રાન્તિ અને બુદ્ધિવાદના જમાનામાં કેટલી આવશ્યકતા છે તે હવે સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય ! કોઈપણ ધર્મ, દર્શન કે મતનો અનુયાયી હો, ગૃહસ્થ હો કે ત્યાગી હો; સૌ કોઈ સાધકને ભગવાન મહાવીરના પદ્ય પુષ્પોની માળારૂપ બનેલી આ સાધક સહચરી આદર્શ સહચરી રૂપે નીવડો એ જ સદ્દભાવના સાથે વિરમું છું. સંતબાલ વરસોવાના ગંભીર સમુદ્ર તટ પર ૨૮-૪-૧૯૩૫
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy