SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષા વર્ગ માટે જ મહર્ષિઓ કહે છે કે, ધન, સહોદરો ઇત્યાદિ કોઈપણ વસ્ત શરણરૂપ થતી નથી. (જીવન પણ ક્ષણિક છે) તેમ જાણીને આ સંસારમાં (આસક્ત ન થતાં) નિરાસક્ત ભાવે જે કમો કરે છે તે ખરેખર કર્મબંધનથી મુક્ત થાય છે. સૂય. ૧, ઉ. ૧ : ૮ जहा कागिणिए हेडं, सहस्सं हारए नरो । अपत्थं अम्बगं भोच्चा, राया रज्जं तु हारए ॥ १७ ॥ જેમ કો કોડીને કાજે, સોનામ્હોર ગુમાવતો; મૂર્ણ રોગી મરે જેમ અપથ્ય ફળ ખાઈને. ૧૭ अणुसटुंपि बहुविहं मिच्छादिट्ठिया, जे नरा अबुद्धिया । बद्धनिकाइयकम्मा सुणंति, धम्मं न परं करेंति ॥ १८ ॥ જે કર્મભારથી મૂઢ અજ્ઞાની અંધ તે જનો; સત્ પુરુષો તણી શિક્ષા સુણીને આચરે નહિ. ૧૮ જે કોઈ મૂર્ખ માણસ કોડી લેવા જતાં પોતાના હાથની સોનામહોર ખોઈ બેસે અને કોઈ મૂર્ખ રોગી અપથ્ય ફળનો સ્વાદ લેવા જતાં પોતાનો અમૂલ્ય દેહ ગુમાવે તેમ અજ્ઞાનથી આંધળા બનેલા મનુષ્યો ભોગ અને તેવી તેવી તૃષ્ણામાં સત્ પુરુષોની શિક્ષા સાંભળવા છતાં તેમ નહિ આચરીને પોતાના માનવદેહ રૂપી રત્નને ગુમાવે છે. ઉ. ૭ : ૧૧ एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च, संजमे य पवत्तणं ॥१९॥ નિવૃત્તિ ને પ્રવૃત્તિ બે, વૃત્તિઓ સર્વ જીવને; પ્રવૃત્તિ સંયમે રાખો ને નિવૃત્ત અસંયમે. ૧૯
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy