SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : પાપભ્રમણ વર્ગ जे केई पव्वइए, निहासीले पगामसो । मोज्जा पेच्चा सुहं सुवइ, पावसमणित्ति वुच्चइ ॥१॥ જે કોઈ થઈને સાધુ નિદ્રાશીલ રહે બહુ ખાઈ પીને સુખે પોઢે પાપ સાધુ ગણાય છે. ૧ જે સાધક ત્યાગી થઈને ઊંઘવાનો સ્વભાવ ઘણો રાખે અને ખાઈ-પીને પોઢવામાં જ જેની દિનચર્યા પૂર્ણ થતી હોય તે શ્રમણ, શ્રમણ નહિ પણ પાપીશ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૩ दुद्धदहीविगईओ, आहारेइ अभिक्खणं । अरए य तवोकम्मे, पावसमणित्ति वुच्चइ ॥२॥ દહીં દૂધ તથા બીજાં રસીલાં ભોજનો ભરે; તપમાં પ્રીતિ ના ધારે પાપ સાધુ ગણાય છે. ૨ જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોનો વારંવાર ખાધા કરે છે પણ તપશ્ચર્યા અને સંયમ તરફ લેશમાત્ર પ્રીતિ ધરાવતો નથી, તે પણ પાપી શ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૧૫ आयरियउवज्झाएहिं, सुयं विणयं च गाहिए। ते चेव खिसइ बाले, पावसमणित्ति वुच्चइ ॥३॥ આચાર્યાશ્ચપકો જેણે વિનય જ્ઞાન શીખવ્યાં; તેમની જે કરે નિંદા પાપ સાધુ ગણાય છે. ૩ | વિનયમાર્ગ ધર્મની અને જ્ઞાનની જે ગુરુ દ્વારા પ્રાપ્તિ થઈ છે તેવા ગુરુને સ્વાર્થ સર્યા પછી નિંદે કે તિરસ્કાર કરે તે પણ પાપી શ્રમણ કહેવાય છે. ઉ. ૧૭ : ૪
SR No.008099
Book TitleSadhak Sahachari
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy