SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પરાક્રમ ૧૯૭ અને સંસારમાં ન આવવાથી તે જીવાત્મા શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થાય છે. ૪૫. હે પૂજ્ય ! વીતરાગપણાથી જીવ શું પામે છે ? તેવી નિરાસક્તિથી સ્નેહનાં બંધનો તે જીવ છેદી નાખે છે તથા મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ઇત્યાદિ વિષયોમાં વૈરાગ્ય પામે છે. નોધ : વીતરાગતા અહી કેવળ વૈરાગસૂચક છે. ૪૬. હે પૂજય ! ક્ષમાથી જીવ શું પામે છે ? ક્ષમાથી તે વિકટ પરિષહો પર પણ વિજય મેળવે છે. ૪૭. હે પૂજય ! નિર્લોભતાથી જીવ શું પામે છે ? નિર્લોભતાથી જીવ અપરિગ્રહી બને છે. અને ધનલોલુપી પુરુષોના (કણો પરાધીનતાઓ)થી બચી જાય છે. અર્થાત્ નિરાકુળ બને છે. ૪૮. હે પૂજ્ય ! નિષ્કપટતાથી જીવ શું પામે છે ? નિષ્કપટતાથી મન, વચન અને કાયાથી સરળતા અને સુંદરતા પ્રાપ્ત કરે છે. અને કોઈની સાથે તે પ્રવચના (ઠગાઈ) કરતો નતી. તેવો જીવાત્મા ધર્મનો આરાધક બને છે. ૪૯. હે પૂજય ! મૃદુતાથી જીવ શું પામે છે ? મૃદુતાથી જીવ અભિમાન રહિત થાય છે. અને કોમળ મૃદુતાને પ્રાપ્ત કરી આઠ પ્રકારના મદરૂપ શત્રુનો સંહાર કરી શકે છે. નોંધ : જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને ઐશ્વર્ય-આ આઠ મદનાં સ્થાનો છે. ૫૦. હે પૂજ્ય ! ભાવસત્યથી (શુદ્ધ અંતઃકરણથી જીવ શું પામે છે ? ભાવસત્યથી હૃદયવિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધિ અંત:કરણવાળો જીવ જ અહંત પ્રભુના બતાવેલા ધર્મની આરાધના કરી શકે છે. અને તે ધર્મની આરાધનામાં ઉદ્યમી થઈ પરલોકમાં પણ ધર્મનો આરાધક બને છે. ૫૧. હે પૂજ્ય ! કરણસત્યથી જીવ શું પામે છે ? કરણસત્ય (સત્ય પ્રવૃત્તિ કરવા)થી સત્યક્રિયા કરવાની શક્તિ જન્મે છે અને સત્ય પ્રવૃત્તિમાં રહેલો જીવ જેવું બોલે છે તેવું જ કરે છે. પર. હે પૂજય ! યોગસત્યથી જીવ શું પામે છે ? સત્ય યોગથી યોગોની વિશુદ્ધિ થાય છે. નોંધ : યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy