________________
હતો. આશ્રમ તોરણોથી અને કેસૂડાનાં ફૂલથી શણગાર્યો હતો. આ આશ્રમ શ્રીકાંત શેઠ ચલાવે છે. પછાત વર્ગ ખાતા તરફથી ચાલે છે.
બપોરે આજુબાજુના ખેડૂતોનું સંમેલન થયું હતું. તા. ૧૭ થી ૨૦-૧-૫૮ : બાવલી
બોરીસાવરથી નીકળી બાવલી આવ્યા. અંતર નવ માઈલ હશે. લાંબુ ચાલવાનું હોવાથી અમે જરા વહેલાં નીકળ્યાં હતાં. બે માઈલ ચાલ્યા પછી તાપી નદી હોડીમાં પાર કરી સામે કાંઠે આવ્યા હતા.
અમારો રસ્તો જંગલમાં થઈને જતો હતો. આખે રસ્તે વાંસનાં ક્રૂડ ને ઝૂંડ આવતાં હતાં.
અમારી મંડળી આવી. તેની સાથે સ્વાગત માટે જંગલ કામદારો સેંકડોની સંખ્યામાં બે માઈલ દૂર સુધી સામે આવ્યા હતા. કાર્યકરો પણ હતા. એક અનેરું દશ્ય ખડું થયું હતું. બે બાજુ લાઈનબંધ હાથમાં કુહાડા લઈને રાનીપરજ ઊભા હતા. ભજનમંડળીએ ઢોલક, તેમના જાતજાતના વાજિંત્રો અને પહેરવેશ બહુ સુંદર લાગતાં હતાં. મહારાજશ્રી આવ્યા એટલે મહાત્મા ગાંધીજીના જયના ભારે પોકારો થયા અને એકેએક કુહાડીઓ ઊંચી થઈ.
ચાલતાં ચાલતાં જયાં “જય” બોલાવીએ ત્યાં કુહાડીઓ ઊંચી કરીને “જે” બોલતા સરઘસાકારે સૌ નિવાસે આવ્યાં. અમારો નિવાસ જંગલમાં માડવી મંડળીના ફૂપે હતો.
બપોરના સાડા ત્રણથી ચાર જાહેરસભા થઈ હતી. તેમાં પ્રાર્થના બાદ પ્રથમ સામભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ શ્રી રામચંદ્ર ઉપાધ્યાયે જંગલ મંડલીઓનો હેવાલ આપ્યો હતો. ખેર સાહેબ સૌ પ્રથમ જંગલોનો કોન્ટ્રાક્ટ આપવાને બદલે જંગલ મંડળીઓને એ જંગલો ગણત્રીની રકમ ગણીને આપવા ઠરાવ્યું. પ્રથમ મુશ્કેલી ખૂબ પડી. કોન્ટ્રાક્ટરોની અનેકવિધ મુસીબત, અમલદારોની કનડગત વગેરે ચાલ્યું. પૂ. સંતબાલજીનું પ્રવચન : કાર્યકર ભાઈઓ, સહકારી વર્ગના ભાઈઓ અને રાનીપરજ ભાઈઓ.
તમે બધ આજે ઉત્સવ ઉજવો છો. તમે ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. આમ તો સૂરત જિલ્લામાં આવ્યા પછી કેટલીક વાતો જાણવામાં આવી છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭૧