________________
તા. ૧૦, ૧૧, ૧૨-૫-પ૭ : સાણંદ : નવું બંધાયેલ બાલ મંદિરની મુલાકાત.
સંઘના કાર્યકરો તથા ચાતુર્માસ ક્યાં કરવા અંગે
વિચારણા. તા. ૧પ-પ-પ૭: શિયાવાડા: કોંગ્રેસના આગેવાનો મળવા આવ્યા. મહારાજશ્રીએ
સૂચવ્યું : કોંગ્રેસે પોતાની તાકાત વધારવા રચનાત્મક બળોનો સહયોગ કરવો જોઈએ. આ અંગે એક લેખિત
નિવેદન સંઘે આપ્યું. તા. ૧૬-પપ૭ : ઝોલાપુર તા. ૧૭, ૧૮-પ-૫૭: બકરાણાઃ મહારાજશ્રીના પ્રારંભના સાથી શ્રી જયંતીભાઈ
ખુ. શાહનું મૂળ વતન. સંસ્થાના કાર્યકરોને વ્યક્તિ
નિષ્ઠા નહીં, સંસ્થા નિષ્ઠા કેળવવા સલાહ. તા. ૨૨-૫-પ૭ : કરકથલ : ખેડૂત સહકારી જિન શરૂ થયું છે. તા. ૨૩--પ૭ : હાંસલપુર : ખેડૂત મંડળ સંચાલિત સહકારી મંડળી. તા. ૨૪ થી ૨૬-૫-પ૭ : વિરમગામ : અહીં મહારાજશ્રીએ ચાતુર્માસ કર્યા હતા.
ભંગી ભાઈઓની હાઉસિંગ સોસાયટીની મુલાકાત, તા. ૨૭-૫-પ૭ : ભોજવા તા. ૨૮-૫-પ૭ : કાલિયાણા તા. ૨૯-પ-પ૭ : ઝુંડ તા. ૩૧-૫-પ૭ : ગોરૈયા તા. ૧-૬-પ૭ : વડગામ તા. ૨, ૩-૬-પ૭ : વણી તા. ૩ થી ૬-૬-૫૭ : રહેમલપુર : સહકારી ખેતી મંડળીમાં રસ અને માર્ગદર્શન તા. ૭-૬-પ૭ : સોખડી : સાધુનો પ્રશ્ન તા. ૮-૬-પ૭ : સચાણા તા. ૯, ૧૦-૬-પ૭ : છારોડી તા. ૧૧-૬-પ૭ : ઈયાવા વાસણા તા. ૧૨-૬-પ૭ : કોલર, તા. ૧૩ થી ૨૯-૬-પ૭ : વાઘજીપુરા : અહીં મુનિશ્રી એક ઘાસની ઝૂંપડીમાં સન
૧૯૩૯ ચાતુર્માસ કરેલ. વાઘજીપુરામાં મુનિશ્રીના ભક્ત શેઠ વાડીલાલ જમનાદાસનું ફાર્મ હતું. ભાલ નળકાંઠા મા, સંઘ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડીઓની સંયુક્ત બેઠક. બંને સંસ્થાઓ પરસ્પર પૂરક થાય એ કારણે.
14
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું