SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો તેને હું ટુકડો માનું. પણ ભારતની સંસ્કૃતિએ સમગ્ર પ્રાણી જીવનનો અભ્યાસ કરીને વર્તાવ આચરવા માટે સતત કોશિશ કરી છે. પાંચ પાંચ હજાર વર્ષ પહેલાની સંસ્કૃતિ શોધાય છે. તેમાં જે કંઈ ઉત્કર્ષ જણાયું તેથી પ્રતિષ્ઠા આપ્યા સિવાય ચાલે તેમ નથી. એક સમયે ભારતની સંસ્કૃતિ માટે આખી દુનિયા ઝંખતી હતી. પણ વચલાકાળે ધર્મ બાબત પડતી ચાલી. કલો વધ્યાં અને હિંસક શક્તિ ખીલતી ગઈ. અહિંસા ઝાંખી પડી એની અસર જૈનો ઉપર પણ થઈ. ગાંધીજીએ નૈતિક તાકાતને ફરી જાગૃત કરી અને દુનિયાને શીખવ્યું કે માણસ પડે છે, આખડે છે, પાછો ચડે છે. સંસ્કૃતિનું પણ એવું જ છે. તેમણે નૈતિક મૂલ્યાંકનો સ્થાપ્યાં. જૈનોએ આ વાત પ્રથમ પકડવી જોઈતી હતી. પણ હંમેશાં પ્રથમ વિચાર આવે ત્યારે માણસ તેને ઝટ અપનાવી શકતો નથી પણ પછી ધીમે ધીમે ગેડ બેસી જાય છે. મારા મનમાં મંથન ચાલતું હતું કે જેનો વિશ્વધર્મને માનનારા છે. આચરનારા છે તે આટલાં સંકુચિત કેમ બની ગયાં ? રાજચંદ્ર કહે છે વૈશ્યવૃત્તિ આવી અને લોભ વધ્યો, તેમાંથી પડતી આવી છે. ધર્મની કદી પડતી થતી નથી. પણ એનાં આચરનારાથી ધર્મ ઝાંખો દેખાય છે. ધર્મ રહેશે ક્યાં ? મકાનમાં રહેશે ? ભીંતમાં રહેશે ? વાસ્તવિક રીતે ધર્મ માનવામાં જ રહે છે. જે ધર્મ માર્ગદર્શક થતો નથી, આગેકૂચમાં મદદ કરતો નથી તે ધર્મ ટકી શકે ખરો? સંખ્યાની દૃષ્ટિએ કહેવાય છે કે જૈનો ૧૨ કે ૧૩ લાખ છે. કેટલાક ફરિયાદ કરે છે. બીજા ધર્મો વધે છે જેનો વધતાં નથી. સંખ્યાની દૃષ્ટિએ હંમેશાં સાચા ધર્મનિષ્ટો ઓછા રહેવાના. ગુણવત્તાની દૃષ્ટિએ જૈન ધર્મ વિશ્વવિશાળ છે. તેના સૂત્રો ગુણવાચક છે. પંચ પરમેષ્ટીનો મંત્ર એ જ બનાવે છે. નમો અરિહંતાણમ્ રાગદ્વેષથી મુક્ત હોય તેમને વંદન. ગમે તે કોમના પણ સિદ્ધને નમસ્કાર, નમો આયરિયાણં આચાર્યોને નમસ્કાર. નમો ઉવઝાયાણું, ઉપાધ્યાયોને નમસ્કાર. કોઈ જૈનોને ના કહ્યું પરંતુ સૌ સાધુને નમસ્કાર કહ્યા, સર્વ વિશેષણ લગાડ્યું. વિશ્વના સાધુને નમસ્કાર કહ્યા, જૈનો જ્યારે આ મંત્ર ઉચ્ચારતા હશે ત્યારે લાગતું હશે આ છ કોટીમાં આવતાં નથી. આ દેશવાસીમાં આવતા નથી, આ દિગંબરમાં આવતું નથી, વૈષ્ણવમાં તો આવે જ ક્યાંથી સાચી વાત જુદી છે. જૈનોને ધર્મદષ્ટિથી એ રીતે જોવું છે કે, અહિંસા ને સત્યના આચરણ ૧૭૪ સાધુતાની પગદંડી
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy