SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યાલો તમે વાંચ્યા હશે, વિચાર્યા હશે. એટલે મેં ઇચ્છેલું કે તમે કંઈક એ વિશે પૂછો. છતાં કંઈક કહું. આજકાલ રાષ્ટ્રની સામે માત્ર એક જ સવાલ છે કે નવી સમાજરચના થાય શી રીતે ? કોઈ એમ માને છે કે હિંદુસ્તાન એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે. એટલે અહીંના જે કોઈ સવાલ કે પ્રશ્નો હશે તેનો સંબંધ સંસ્કૃતિ સાથે હશે. તો સંસ્કૃતિ શું ચીજ છે. ભૂતકાળના અનુભવવાળી જનતા, વર્તમાનના જે અનુભવો છે તે જનતા અને નવી સમાજરચના એ ત્રણેની એકવાક્યતામાંથી સંસ્કૃતિ બને છે અને બની છે. જે સવાલ સારી દુનિયામાં ઊઠે છે તેને લઈને ભારત આવ્યું. જુઓ આપણે ત્યાં પરદેશી લોક આવ્યા. હૂણ, ગ્રીક, દ્રાવિડિયન, પારસી વગેરે. જે સંસ્કાર તે પ્રજામાં હતા તેમાંથી લાભ ઊઠાવ્યો અને એમાં એકરૂપ થઈ ગયા કે આજે કોણ હૂણ છે ? કોણ શક છે? તે માલુમ નહિ પડે. તેમ છતાં સાથોસાથ આપણે એકરાર કરવો પડશે કે મધ્યયુગમાં જે આપણે સંસ્કૃતિના ધુરંધર કહેવડાવીએ છીએ. તેઓ માળા ફેરવવા લાગી ગયા. માન્યું કે ઈશ્વરની ઈચ્છા હશે તે થશે. આ વાત સાચી નહોતી. મહાત્મા ગાંધીજી આવ્યા તેમણે નવી પ્રેરણા આપી. સાધુ લોકો, ભક્ત લોકો બધાંને માર્ગદર્શન આપ્યું. આજની દુનિયા નાની થઈ ગઈ છે. દુનિયાથી અલિપ્ત રહે નહિ ચાલે તો સમન્વય કરીને કે કેવી રીતે ચાલીએ. એમાંથી આપણે બે વાત ઉઠાવી લીધી સત્ય અને અહિંસા. એના પરિણામે ધર્માનંદ કોસંબી, પંડિત માલવિયા, પંડિત સુખલાલ, પંડિત નહેરુ, ગાંધીજી વગેરે મહાવીર બુદ્ધ, રામ અને કૃષ્ણ ચાર મહાપુરુષોએ આપણને પૈગામ આપ્યો છે. તેમના અનુભવોની સાથે નવા અનુભવોનો સમન્વય કરવો જોઈએ. પંડિતજી વારંવાર કહે છે સહઅસ્તિત્વ સ્વીકારો, એ કેમ બનશે ? બાપુજી ગયા. હવે સવાલ એ છે કે એ સંસ્કૃતિને કોણ આગળ ચલાવશે. આજે જે ચાલે છે, તે બરાબર છે કે કોઈ ભૂલ છે. સ્વરાજ્ય આવ્યું તેથી પૂર્ણતા નથી. આજે જે ચાલી રહ્યું છે તે ખતરનાક છે. આપણી સંસ્કૃતિ જે છે સા વિદ્યા યા વિમુક્તયે ! એવી પ્રથા આજે છે ? આથી આપણે વિચારીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ છોડીને નહિ ચાલે. કોઈ લોક કહે છે અમારી સંસ્કૃતિ જુદી છે, ઊંચી છે. માત્ર કહેવાથી નહિ ચાલે. દુનિયા સાથે સંબંધો રાખવા પડશે. આપણે એવી રચના ઊભી કરવી પડશે કે સંસ્કૃતિ, સંસ્કૃતિ સાધુતાની પગદંડી ૧પપ
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy