SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૦, ૨૧ તેથી તે શરીરની અંદર ભોગવાય તે ઉપભોગ. પરિભોગમાં ‘’િ પદ વારંવાર અર્થનું સૂચક છે માટે જે ‘પરિ' એટલે વારંવાર ભોગવાય, તે વસ્ત્રાદિ પરિભોગ જાણવો અથવા ‘પરિ'નો બીજો અર્થ ‘બહાર' કર્યો છે. એ મુજબ ‘પરિ’ એટલે બહાર ભોગવાય તે વસ્ત્ર-અલંકાર વગેરે જાણવા. ૧૬૯ ૦ વીમિ મુળવ્વત્ નિવૅ - બીજા ગુણવ્રતને વિશે નિંદુ છું. ૦ વીસંમિ - બીજા. વંદિત્તુ સૂત્રમાં ક્રમની દૃષ્ટિએ આ ગુણવ્રતનો ક્રમ બીજો કહ્યો છે. તેથી ‘બીઅંમિ' શબ્દ વાપર્યો છે. વીમિ નું પાઠાંતર વીઝમ્પ પણ છે. (ઉવવાઈ સૂત્રમાં આ ક્રમ ત્રીજો છે.) ૦ મુળવ્વચ્છુ - ગુણવ્રત - અર્થ અને વ્યાખ્યા ગાથા-૮ મુજબ. ૦ નિવે આત્મસાક્ષીએ નિંદા કરું છું. અહીં ‘અતિચારોની' એ પદ અધ્યાહાર છે. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં મદ્ય, માંસ, ફૂલ, ફળ, ગંધ, માલ્યાદિના ઉપભોગમાં જે અતિચાર લાગ્યો હોય તેની હું નિંદા કરું છું. હવે ગાથા-૨૧માં ભોગ્ય વસ્તુના પાંચ અતિચારો તથા તેનું પ્રતિક્રમણ દર્શાવેલ છે. (આ વ્રતનો બીજો અર્થ કર્મ છે. તેના અતિચારોનું પ્રતિક્રમણ ગાથા૨૨ અને ૨૩માં દર્શાવલ છે.) • सच्चिते पडिबद्धे अपोलि दुप्पोलिए अ आहारे. तुच्छोसहि भक्खणया. ગાથાના પ્રથમ ત્રણ ચરણમાં પાંચ અતિચારોના નામ છે. જેમાં પહેલા બે ચરણને અંતે મૂકાયેલ ‘આહાર’ શબ્દ પૂર્વેના ચારે શબ્દો સાથે સંકડાયેલ છે. તેથી સવિત્તઞાહાર ઇત્યાદિ પદો બનશે. વળી વિદ્ધ શબ્દ પૂર્વના સચિત્ત શબ્દ સાથે પણ સંકડાયેલ છે, તેથી ચિત્તપડિવન્દ્વઞાહાર એવો શબ્દ બને. આ પાંચે અતિચારો આ પ્રમાણે છે— - (૧) સચિત્ત આહાર, (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર, (૩) અપક્વ ઔષધિ આહાર, (૪) દુષ્પશ્ર્વ ઔષધિ આહાર, (૫) તુચ્છ વનસ્પતિનું ભક્ષણ. સચિત્ત - સચિત્ત આહારના વિષયમાં અતિચાર. નિશીથચૂર્ણિના ઉદ્દેશા-૧માં જણાવ્યા મુજબ - ‘જે દ્રવ્ય જીવથી યુક્ત હોય તેને સચિત્ત અર્થાત્ ચેતન સહિત કહેવાય છે. જ્યારે અગ્નિ આદિ શસ્ત્રો પરિણમવાથી જેમાંથી ચેતન ચાલ્યું ગયું હોય તે અચિત્ત કહેવાયા છે. જેમકે ‘પાણી' સામાન્યથી સચિત્ત છે પણ ત્રણ ઉકાળાથી અધિક ઉકળેલું પાણી ‘અચિત્ત’ છે. શાકભાજી સચિત્ત છે, પણ ગંધાઈ ગયા પછી તે અચિત્ત બને છે. આવશ્યક ચૂર્ણિમાં છટ્ઠા આવશ્યકમાં જણાવે છે કે, ઉત્કૃષ્ટ માર્ગે તો શ્રાવક પણ પોતાના નિમિત્તે આરંભ ન થયો હોય તેવો નિર્દોષ આહાર વાપરે, તે બની શકે નહીં - તેથી સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરે, તેમ પણ ન બની શકે તો અભક્ષ્ય-અનંતકાયાદિનો ત્યાગ કરે અને સચિત્તદ્રવ્યોનું પરિમાણ નક્કી કરે.
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy