SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ સામાઇય-વયજુરો સૂત્ર-વિવેચન ૦ તે સવિડુ – તે સર્વ પ્રકારનું. તે બધી જ ભૂલ કે દોષોનું. ૦ મન, વચન, કાયાએ કરી - મનથી, વચનથી અને કાયાથી ૦ મિચ્છામિ દુક્કડમ્ – મારું તે દુષ્કૃત્ (પાપ), મિથ્યા (નિષ્ફળ) થાઓ, આ શબ્દોનું વિવેચન સૂત્ર-૫ ‘ઇરિયાવહી'માં જોવું. – ઉક્ત આખા ફકરાનો સાર – (૧) સામાયિક લેવાની અને પારવાની ક્રિયા વિધિપૂર્વક કરી છે તેવી કબુલાત (૨) તેમ છતાં જો તેમાં કોઈ અવિધિ થઈ ગઈ હોય તો તેનું મન, વચન, કાયા એ ત્રિકરણ યોગથી “ મિચ્છામિ દુક્કડં' આપવું અર્થાત્ માફી માંગવી • સામાયિકના બત્રીશ દોષ અને તેની ત્રિકરણ યોગે માફી માંગવી. સામાઇય વયજુરો સૂત્રના આ બીજા ગુજરાતી ફકરામાં મન, વચન, કાયા થકી સામાયિકમાં જે દોષોનું સેવન ભૂલથી થવાની શક્યતા છે. તેનો નિર્દેશ કરે છે. કેમકે આ બધાં દુષણો ટાળવા-છોડવા માટે છે. ૦ દશ મનના - મન વડે થતાં દશ દોષો : 'अविवेक-जसोकित्ती, लाभत्थी गव्व-भय नियाणत्थी; સંસ-રોલ-વિમો, વહુHTTU ઢોસા માયવ્વા ' (૧) અવિવેક દોષ – આત્મહિત સિવાયના અન્ય વિચારો કરવા. શરીર જ માત્ર આસન ઉપર હોય અને મન સંસારમાં ફેરા ફરતું હોય તો સામાયિક દુષિત થાય. (૨) યશકિર્તી દોષ :- લોકો મારી વાહ-વાહ કરશે. મને ધર્મીષ્ઠ કહેશે, મારી કીર્તિ ગવાશે એમ વિચારી સામાયિક કરે તો સામાયિક દુષીત થાય (૩) લાભ-વાંછા દોષ :- સામાયિક દ્વારા કોઈપણ જાતના ધનલાભની ઇચ્છા રાખવી, તે લાભ-વાંછા દોષ (૪) ગર્વ દોષ : - હું સામાયિક કરું છું માટે હું બીજા કરતા ચડિયાતો છું એવી વિચારણા કરવી તે ગર્વદોષ (૫) ભય દોષ :- જો હું સામાયિક ન કરું, તો બીજા લોકો ટીકા કરશે કે કંઈક બોલશે તો. જેમકે – “જો તો આ ભાઈએ ઉપધાન કર્યા હતા. હવે સામાયિક પણ કરતા નથી" એવા ભયથી સામાયિક કરે. (૬) નિદાન દોષ :- સામાયિકના ફળ તરીકે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર ઇત્યાદિ સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ આરાધના મોક્ષ માટે જ હોય તેને બદલે આ લોકના ફળની સિદ્ધિ માટે કંઈક નિયાણું કરવું તે નિદાન દોષ (૭) સંશય દોષ :- સામાયિકનું ફળ મળશે કે કેમ ? એમ મનમાં શંકા કરવી તે સંશય દોષ (૮) રોષ દોષ :- કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલા રોષમાં જ સામાયિક કરવા બેસી જવું તે રોષ દોષ કેમકે જે નિમિત્તે રોષ ઉત્પન્ન થયો હોય તે નિમિત્ત ચાલુ રહે અથવા તે નિમિત્ત સામે આવી જાય તો સમભાવ ટકશે નહીં (૯) અવિનય દોષ :- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy