SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ પ૩ ૧૬૭. આળસ હોય ત્યાં સુખ નથી. નિદ્રા અને વિદ્યા સાથે. રહેતાં નથી. જ્યાં મમતા ત્યાં વૈરાગ્ય નહિ અને આરંભ ત્યાં અહિંસા નહિ. (આરંભ=મોલ પાયે કસતા સાંસારિક કાય.) હે મનુષ્યો, સતત જાગતા રહો જાગતો રહે છે તેનું જ્ઞાન વધે છે. સૂઈ રહેનારો ભાગ્યહીન છે, જાગનારો. ભાગ્યશાળી છે. ૧ ૬૮. ૧ ૬ ૯. વસ્તુઓ લેવી-મૂકવી, મળ-મૂત્ર અને બીજી વસ્તુઓનું વિસર્જન કરવું, બોલવું-ચાલવું, બેસવું-ઉઠવું, જવું-આવવું – આવી દરેક ક્રિયામાં સાવધાન રહીને જે જીવરક્ષાનો પ્રયત્ન કરે છે તે જ અહિંસક રહી શકે છે. ૧૪. શિક્ષાસૂત્ર ૧૭૦. અવિનીત આત્માને હાનિ થાય છે, વિનીતને લાભ થાય છે – આ વાત જેના ધ્યાનમાં હોય તે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. ૧૭૧ અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ-આ પાંચ વસ્તુઓ એવી છે કે જે જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બને છે. ૧૭-૧૭૩. આ આઠ વસ્તુઓ એવી છે કે જેનાથી જ્ઞાનાર્જનમાં સફળતા મળે છે : મજાક-મસ્તીથી દૂર રહેવું, ઈન્દ્રિયમનને કાબૂમાં રાખવાં, બીજાની ખાનગી વાતોમાં રસ ન લેવો, અસભ્ય ન બનવું, મોટા અપરાધો ન આચરવા, સ્વાદલોલુપ ન થવું, ક્રોધી ન હોવું, સત્યના પ્રેમી રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy