SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ ૧ ૨૫. ૪૧ કોઈ વ્યક્તિ યુદ્ધમાં હજારો મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. ૧ ૨ ૬ બહારની લડાઈથી શું વળશે? પોતાની જાત સાથે જ લડ. પોતે પોતાને જીતીએ તો જ સાચું સુખ મળે છે. ૧ ૨૭. પોતાની જાતને જ તાબે કરવી જોઈએ. આત્મવિજય સૌથી અઘરો છે. જાતને જીતનારા આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. ૧ ૨૮. હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ. ૧ ૨૯. એક વસ્તુથી નિવૃત્ત થવા જેવું છે અને બીજી એક વસ્તુમાં પ્રવૃત્તિ કરવા જેવી છે. અસંયમથી નિવૃત્તિ કરવી અને સંયમમાં પ્રવૃત્તિ કરવી ૧ ૩૦. રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી. ૧ ૩૧. જેવી રીતે લગામ વડે અશ્વને રોકવામાં આવે છે તેમ જ્ઞાન, ધ્યાન અને તપના આધારે ઈન્દ્રિયો, વિષયો તથા કષાયોનો નિગ્રહ કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy