SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ ૧ ૧૯-૧ ૨૦ ૩૯ ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને નીકળ્યા એકે નફો કર્યો, બીજો મુદ્દલ લઈને પાછો આવ્યો, ત્રીજો વેપારી મૂળ રકમ ગુમાવીને પાછો ફર્યો. એવું જ ધર્મ વિષે પણ સમજવું. ૧ ૨૧. આત્મા આત્માને જાણે છે આત્મસાક્ષીએ કરાતો ધર્મ સાચો છે ધર્મ એવી રીતે આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક નીવડે. ૧૦. સંયમસૂત્ર ૧ ૨ ૨ આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ કૃશાલ્મલી વૃક્ષ છે આત્મા જ કામધેનું છે અને આત્મા જ નંદનવન (આત્મા જ નર્ક છે, આત્મા જ સ્વર્ગ છે વૈતરણી નદી અને કૃશાલ્મલી વૃક્ષ નર્કમાં આવેલાં કહેવાય છે, કામધેનુ ગાય અને નદનવન સ્વર્ગમાં આવેલા કહેવાય છે.) આત્મા જ સુખ-દુ:ખનો કર્તા છે અને સુખદુ:ખનો ભોક્તા છે. સન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો મિત્ર છે, ઉન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો શત્રુ છે. ૧ ૨ ૩. ૧ ૨૪. એક તો ન જીતાયેલો આત્મા આપણો શત્રુ છે, બીજા, ન જીતાયેલા કષાય અને ન જીતાયેલી ઈન્દ્રિયો આપણા ખરા શત્રુ છે હે મુનિવર! એ બધાંને જીતી લઈને હું યથાયોગ્યપણે વિચારું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy