SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ ૧૧ રત્નત્રય એ છે ‘ગણ; મોક્ષમાર્ગ પર ગતિ કરવી એનું નામ ગચ્છ'; ગુણનો સમૂહ એ “સંઘ'; અને નિર્મળ એવો આત્મા એ છે ‘સમય’. ૨૭. સંઘ ખરું આશ્વાસન છે, વિશ્વાસસ્થાન છે, શીતળતા કરનાર શીતગૃહ છે; હે સાધક, તું ગભરાઈશ નહિ, માતાપિતા સમાન સંઘ સર્વજીવોને શરણરૂપ છે. ૨૮ ૨ ૮ (સંઘને શરણે જનારો) સાધક જ્ઞાનનો અધિકારી બને છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે; માટે ધન્ય આત્માઓ જીવનપર્યત ગુરુકુલવાસને છોડતા નથી. જેને ગુરુ ઉપર ભક્તિ નથી, બહુમાન નથી, ગૌરવ નથી, પ્રેમ નથી, તેમજ ગુરુની બીક કે શરમ પણ નથી એ માણસને ગુરુકુલવાસથી શો લાભ ? ૩૦-૩૧. સંઘ એક કમળ સમાન છે, તે કર્મરૂપી પાણીમાં ઉત્પન્ન થાય છે; એને શ્રુતજ્ઞાનરૂપી લાંબી દાંડી છે; એ પાંચ મહાવ્રતરૂપી કર્ણિકા અને ગુણરૂપી તાંતણા ધરાવે છે; શ્રાવકજનરૂપી ભમરા તેને વીટળાયેલા રહે છે; જિનેશ્વરરૂપી. સૂર્ય દ્વારા વિકસિત થાય છે; હજારો શ્રમણો જાણે એનાં પાંદડા છે; આવા સંઘકમળનું સદા કલ્યાણ હો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy