SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્મુખ આત્મગુણના ઘાતક એવા કર્મોનો નાશ કરનાર, ત્રણે લોકમા રહેલા ભવ્ય આત્માઓને વિકસિત કરવામા સૂર્ય સમાન, અનુત્તર સુખ અને અનત જ્ઞાનયુક્ત અરિહંતોનો જગતમાં જય હો. આઠ કર્મોથી રહિત, સાધ્ય ની પ્રાપ્તિ કરી ચૂલા, સસારથી મુક્ત સર્વ પદાર્થોના તત્વને જેમણે પિછાણી લીધું છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ પ્રદાન કરો. પાચ મહાવ્રતોના પાલનને કારણે મહાન, તે તે કાળે ઉપલબ્ધ સ્વશાસ્ત્ર અને પરશા સ્ત્ર રૂપી શ્રુતજ્ઞાનના ધારક, અનેક ગુણોથી પૂર્ણ એવા આચાર્યો મારા પર કૃપા કરો જેમાથી બહાર નીકળવું કઠણ છે એવા અજ્ઞાનરૂપ અધકારમાં ભટકતા ભવ્ય આત્માઓને જ્ઞાનપ્રકાશ આપનારા ઉપાધ્યાયો મને સન્મતિ આપો. દૃઢ શીલરૂપી માળાને ધારણ કરનારા, રાગ રહિત, યશસ્વી, વિનયથી વિભૂષિત એવા સાધુજનો મને સુખશાંતિ. આપો. અર્હત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ - આ પાચ નામ ના પ્રથમાક્ષરો વડે બનેલો. ઠકાર ૫ ચ. પરમેષ્ઠીનું પ્રતીક છે (૪+૩+ +=+*=8) ૧ ૩. ઋષભદેવ, અજિતનાથ, સભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વનાથ તથા ચન્દ્રપ્રભ સ્વામીને હું વંદન કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy