SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ-દર્શન ૧૭ ૬ ૨ ૨. પત્થર વગેરે ભારના કારણે પાણીમાં ડૂબેલું તુંબડું ભાર નીકળી જતાં પાણી ઉપર આવી તરવા લાગે છે; એરંડિયાના ફળ સૂકાઈને ફાટે છે ત્યારે બી ઉછળીને ઉપર ઉડે છે; અગ્નિનો ધૂમાડો હમેશાં ઉપરની તરફ જાય છે; ધનુષ્યમાંથી છૂટેલું તીર તીવ્રગતિથી સીધું જાય છે–આ બધાંની ગતિ તેમની પૂર્વની સ્થિતિના પ્રભાવ હેઠળ તે તે પ્રકારની થાય છે તેમ, દેહથી મુક્ત આત્માની ઉર્ધ્વગતિ પણ તેના તેના સ્વભાવથી થાય ૬ ૨ ૩. મુક્તાવસ્થા બાધારહિત છે, અતીન્દ્રિય છે અનુપમ છે, પુણ્ય-પાપથી મુક્ત છે, ત્યાંથી પાછા ફરવાનું નથી; તે નિત્ય છે, અચળ છે અને નિરાલંબ છે. ૬ ૨૪. ૩૫. દ્રવ્યસૂત્ર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય – લોક આ છે દ્રવ્યોનો બનેલો છે એમ પરમદર્શી જિનેશ્વરોએ કહ્યું છે. ૬ ૨૫. આકાશ, કાલ, પુગલ, ધર્મ અને અધર્મ–એમાં ચૈતન્ય નથી હોતું તેથી તે અજીવ છે. જીવમાં ચૈતન્ય છે. ૬ ૨૬. આકાશ, કાલ, જીવ, ધર્મ અને અધર્મ-આટલાં દ્રવ્ય અમૂર્ત છે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. આ બધામાં કેવળ જીવ જ ચેતન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy